બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન

From Ekatra Wiki
Revision as of 02:33, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રશ્ન

લેખક : નાથાલાલ દવે
(1912-1991)

વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.

કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.

કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?