પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અંતે તો ઉપયોગિતાવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
Reference Corrections
(Reference Corrections)
(Reference Corrections)
Line 15: Line 15:
છેલ્લા અવતરણમાં તો પ્લેટો સત્યના ધોરણને બાજુએ મૂકી કોઈ બીજા જ ધોરણથી બોલતા હોય એવું લાગે છે! બોધદાયક હોય તો ખોટી વાતો કહેવામાં હવે એમને વાંધો નથી! સત્યશોધક ફિલસૂફ ઉપર વ્યવહારુ નીતિવાદીનો આ વિજય જ ગણાયને? પણ પ્લેટોની આ કોઈ સરતચૂક નથી. એમની વિચારણાનું જ આ એક પાસું છે અને ‘રિપબ્લિક’ના બીજા પ્રકરણમાં એમણે પાડેલા અસત્યના બે પ્રકારોમાં તેની સીધી સ્પષ્ટ નોંધ મળી આવે છે. પ્લેટોકથિત અસત્યના બે પ્રકારો તે આ : એક, ખરું અસત્ય (ટ્રુ લાઇ) એટલે કે ‘છેતરાયેલા માણસનું અજ્ઞાન’<ref>...Ignorance in the soul of him who is deceived.</ref> અને બીજું શાબ્દિક અસત્ય (લાઇ ઇન વડર્‌ઝ) એટલે કે ‘શુદ્ધ નિર્ભેળ જુઠ્ઠાણું નહીં, પણ ચિત્તે પ્રથમથી ધારણ કરેલ વલણની એક જાતની પ્રતિચ્છાયા અને અનુકૃતિ.’૭  <ref>...Only a kind of imitation and shadowy picture of a previous of affection of the soul, not pure unadulterated falsehood.</ref>ખરું અસત્ય તિરસ્કાર્ય છે પણ શાબ્દિક અસત્ય કેટલીક વાર ઉપયોગી થઈ પડે છે અને તેથી એ ધિક્કારપાત્ર નથી હોતું. દાખલા તરીકે, દુશ્મનો સાથેના વ્યવહારમાં ને જેને આપણે લાગણીના આવેશમાં મિત્ર માની લીધો હોય તે આપણું ખરાબ કરવા તૈયાર થાય ત્યારે, શાબ્દિક અસત્ય કામમાં આવે છે અને એક જાતની ઔષધિ કે પ્રતિરોધકની ગરજ સારે છે. પૌરાણિક દંતકથાઓમાં પણ આવું અસત્ય ચાલી શકે છે કેમ કે, આપણે જૂના કાળની સાચી વાતો જાણતા નથી હોતા, અને માટે ખોટી વાતો ઉપજાવી સત્યના બદલામાં ચલાવી લેવી પડે છે.
છેલ્લા અવતરણમાં તો પ્લેટો સત્યના ધોરણને બાજુએ મૂકી કોઈ બીજા જ ધોરણથી બોલતા હોય એવું લાગે છે! બોધદાયક હોય તો ખોટી વાતો કહેવામાં હવે એમને વાંધો નથી! સત્યશોધક ફિલસૂફ ઉપર વ્યવહારુ નીતિવાદીનો આ વિજય જ ગણાયને? પણ પ્લેટોની આ કોઈ સરતચૂક નથી. એમની વિચારણાનું જ આ એક પાસું છે અને ‘રિપબ્લિક’ના બીજા પ્રકરણમાં એમણે પાડેલા અસત્યના બે પ્રકારોમાં તેની સીધી સ્પષ્ટ નોંધ મળી આવે છે. પ્લેટોકથિત અસત્યના બે પ્રકારો તે આ : એક, ખરું અસત્ય (ટ્રુ લાઇ) એટલે કે ‘છેતરાયેલા માણસનું અજ્ઞાન’<ref>...Ignorance in the soul of him who is deceived.</ref> અને બીજું શાબ્દિક અસત્ય (લાઇ ઇન વડર્‌ઝ) એટલે કે ‘શુદ્ધ નિર્ભેળ જુઠ્ઠાણું નહીં, પણ ચિત્તે પ્રથમથી ધારણ કરેલ વલણની એક જાતની પ્રતિચ્છાયા અને અનુકૃતિ.’૭  <ref>...Only a kind of imitation and shadowy picture of a previous of affection of the soul, not pure unadulterated falsehood.</ref>ખરું અસત્ય તિરસ્કાર્ય છે પણ શાબ્દિક અસત્ય કેટલીક વાર ઉપયોગી થઈ પડે છે અને તેથી એ ધિક્કારપાત્ર નથી હોતું. દાખલા તરીકે, દુશ્મનો સાથેના વ્યવહારમાં ને જેને આપણે લાગણીના આવેશમાં મિત્ર માની લીધો હોય તે આપણું ખરાબ કરવા તૈયાર થાય ત્યારે, શાબ્દિક અસત્ય કામમાં આવે છે અને એક જાતની ઔષધિ કે પ્રતિરોધકની ગરજ સારે છે. પૌરાણિક દંતકથાઓમાં પણ આવું અસત્ય ચાલી શકે છે કેમ કે, આપણે જૂના કાળની સાચી વાતો જાણતા નથી હોતા, અને માટે ખોટી વાતો ઉપજાવી સત્યના બદલામાં ચલાવી લેવી પડે છે.
સત્યાસત્યની બાબતમાં પ્લેટો આવો ઝીણો વિવેક કરી તો શકે છે, પણ – દુઃખની વાત એ છે કે – એનો લાભ કવિતાકળાને જરાયે મળતો નથી. અરે, પૌરાણિક દંતકથાઓ તરીકે દેવો અને વીરોનાં યુદ્ધોની પેલી વાતોનો પણ બચાવ થઈ શકતો નથી, તો બીજી તો ક્યાં વાત કરવી? પ્લેટોના પૂર્વગ્રહયુક્ત માનસનું આ પરિણામ તો છે જ, પરંતુ એનું ઉપયોગિતાવાદી – અને તે પણ સ્થૂળ, વ્યવહારુ, નીતિના ઘેરા રંગે રંગાયેલું ઉપયોગિતાવાદી વલણ પણ અહીં કામ કરી રહ્યું છે. પ્લેટોનું વલણ કેટલું સ્થૂળ ઉપયોગિતાવાદી છે એનું એક બીજું ઉદાહરણ પણ આપણને મળે છે. આપણે આગળ જોયું કે પ્લેટોની દૃષ્ટિએ સુતારનો પલંગ, પલંગનું ચિત્ર અને પલંગની કવિતા ત્રણે ઓછે યા વત્તે અંશે સત્યથી ભ્રષ્ટ છે. પણ પ્લેટો કવિતા અને કળાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો આપે છે, સુતારના ધંધાને નહીં! સુતારનો ધંધો એને મતે આવશ્યક અને સાર્થક છે, કેમ કે સુતારનો પલંગ સત્યની દૃષ્ટિએ ભલે ઊતરતો રહ્યો પણ એ સૂવાના કામમાં તો આવે છે! ચિત્રકારના પલંગનો કે કવિના પલંગનો એવો કંઈ ઉપયોગ છે ખરો?
સત્યાસત્યની બાબતમાં પ્લેટો આવો ઝીણો વિવેક કરી તો શકે છે, પણ – દુઃખની વાત એ છે કે – એનો લાભ કવિતાકળાને જરાયે મળતો નથી. અરે, પૌરાણિક દંતકથાઓ તરીકે દેવો અને વીરોનાં યુદ્ધોની પેલી વાતોનો પણ બચાવ થઈ શકતો નથી, તો બીજી તો ક્યાં વાત કરવી? પ્લેટોના પૂર્વગ્રહયુક્ત માનસનું આ પરિણામ તો છે જ, પરંતુ એનું ઉપયોગિતાવાદી – અને તે પણ સ્થૂળ, વ્યવહારુ, નીતિના ઘેરા રંગે રંગાયેલું ઉપયોગિતાવાદી વલણ પણ અહીં કામ કરી રહ્યું છે. પ્લેટોનું વલણ કેટલું સ્થૂળ ઉપયોગિતાવાદી છે એનું એક બીજું ઉદાહરણ પણ આપણને મળે છે. આપણે આગળ જોયું કે પ્લેટોની દૃષ્ટિએ સુતારનો પલંગ, પલંગનું ચિત્ર અને પલંગની કવિતા ત્રણે ઓછે યા વત્તે અંશે સત્યથી ભ્રષ્ટ છે. પણ પ્લેટો કવિતા અને કળાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો આપે છે, સુતારના ધંધાને નહીં! સુતારનો ધંધો એને મતે આવશ્યક અને સાર્થક છે, કેમ કે સુતારનો પલંગ સત્યની દૃષ્ટિએ ભલે ઊતરતો રહ્યો પણ એ સૂવાના કામમાં તો આવે છે! ચિત્રકારના પલંગનો કે કવિના પલંગનો એવો કંઈ ઉપયોગ છે ખરો?
આ ઉપયોગદૃષ્ટિ સ્થૂળ છે એ દેખાઈ આવે એવું છે. જગતમાં ફૂલ છે અને ફળ છે, તેમ ધૂળ અને રાખ પણ છે. દરેકની પાછળ કુદરતે કંઈક ઉપયોગ મૂકેલો જ હોય છે. કાન માત્ર ધર્મોપદેશ સાંભળવા માટે છે, સંગીત સાંભળવા માટે નહીં; નાક માત્ર શ્વાસ લેવા માટે છે, સૂંઘવા માટે નહીં – એ ઉપયોગની અધૂરી અને એકાંગી સમજ છે. જગતની યોજનામાં સત્યની ખાતર સોમલ પીનાર સૉક્રેટીસને સ્થાન છે, તેમ સૉક્રેટીસની કથા કહી લોકોને સત્યને માર્ગે વાળવા પ્રયત્ન કરનાર કથાકારને પણ સ્થાન છે; પ્રકૃતિના સૌંદર્યને સ્થાન છે તો એ સૌંદર્યનું ગાન ગાનાર કવિને પણ સ્થાન છે. એક કરતાં બીજાને આપણે ચડિયાતું માનીએ તોયે એથી જે ઊતરતું છે એ કંઈ ફેંકી દેવા જેવું બની જતું નથી. વિશ્વની યોજનામાં એનો જે હેતુ છે એને સમજી આપણે એના અસ્તિત્વને ન્યાય કરી શકીએ ખરા. પ્લેટોએ આવા સૂક્ષ્મ હેતુ અને ઉપયોગની દૃષ્ટિથી વિચાર્યું હોત તો એમને કવિતા – પ્રચલિત કવિતા પણ – સાવ નિરર્થક ન લાગી હોત અને એમને એમ કહેવાની જરૂર ઊભી ન થઈ હોત કે કવિએ પ્રશસ્તિવચનના લેખક બનવાને બદલે સારાં કામો કરી જાતે પ્રશંસાના વિષય બનવું જોઈએ.૮ એમનો ઉપયોગિતાવાદ એમના સાહિત્યતત્ત્વચિંતનમાં સૂક્ષ્મ વિસંવાદ આણે છે તે પણ ટાળી શકાયો હોત.
આ ઉપયોગદૃષ્ટિ સ્થૂળ છે એ દેખાઈ આવે એવું છે. જગતમાં ફૂલ છે અને ફળ છે, તેમ ધૂળ અને રાખ પણ છે. દરેકની પાછળ કુદરતે કંઈક ઉપયોગ મૂકેલો જ હોય છે. કાન માત્ર ધર્મોપદેશ સાંભળવા માટે છે, સંગીત સાંભળવા માટે નહીં; નાક માત્ર શ્વાસ લેવા માટે છે, સૂંઘવા માટે નહીં – એ ઉપયોગની અધૂરી અને એકાંગી સમજ છે. જગતની યોજનામાં સત્યની ખાતર સોમલ પીનાર સૉક્રેટીસને સ્થાન છે, તેમ સૉક્રેટીસની કથા કહી લોકોને સત્યને માર્ગે વાળવા પ્રયત્ન કરનાર કથાકારને પણ સ્થાન છે; પ્રકૃતિના સૌંદર્યને સ્થાન છે તો એ સૌંદર્યનું ગાન ગાનાર કવિને પણ સ્થાન છે. એક કરતાં બીજાને આપણે ચડિયાતું માનીએ તોયે એથી જે ઊતરતું છે એ કંઈ ફેંકી દેવા જેવું બની જતું નથી. વિશ્વની યોજનામાં એનો જે હેતુ છે એને સમજી આપણે એના અસ્તિત્વને ન્યાય કરી શકીએ ખરા. પ્લેટોએ આવા સૂક્ષ્મ હેતુ અને ઉપયોગની દૃષ્ટિથી વિચાર્યું હોત તો એમને કવિતા – પ્રચલિત કવિતા પણ – સાવ નિરર્થક ન લાગી હોત અને એમને એમ કહેવાની જરૂર ઊભી ન થઈ હોત કે કવિએ પ્રશસ્તિવચનના લેખક બનવાને બદલે સારાં કામો કરી જાતે પ્રશંસાના વિષય બનવું જોઈએ.૮ <ref>The real artist... would desire to leave as memorials of himself works many and fair; and instead of being the author of encomiums, he would prefer to be the theme of them.</ref>એમનો ઉપયોગિતાવાદ એમના સાહિત્યતત્ત્વચિંતનમાં સૂક્ષ્મ વિસંવાદ આણે છે તે પણ ટાળી શકાયો હોત.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>

Navigation menu