બાળ કાવ્ય સંપદા/જઈને કોઈ કે'જો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(1936)}} | {{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(મૂળ નામ : શ્રીકાંત શાહ)<br>(1936)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 01:57, 19 April 2025
જઈને કોઈ કે'જો
લેખક : નિરંજન સરકાર
(મૂળ નામ : શ્રીકાંત શાહ)
(1936)
ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)
ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે'જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)
વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)
ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)
અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે'જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)