બાળ કાવ્ય સંપદા/જઈને કોઈ કે'જો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(1936)}}
{{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(મૂળ નામ : શ્રીકાંત શાહ)<br>(1936)}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 01:57, 19 April 2025

જઈને કોઈ કે'જો

લેખક : નિરંજન સરકાર
(મૂળ નામ : શ્રીકાંત શાહ)
(1936)

ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)

ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે'જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)

વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)

ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)

અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે'જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)