ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા: Difference between revisions

corrections
No edit summary
(corrections)
 
Line 12: Line 12:
'''૧. શબ્દાર્થમયતા :'''
'''૧. શબ્દાર્થમયતા :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્ય શબ્દાર્થનું બનેલું છે એ વાત પ્રથમ દૃષ્ટિએ વિવાદથી પર દેખાય, પણ શબ્દ અને અર્થ બેમાંથી કાવ્યમાં વધારે મહત્ત્વ શાનું, કાવ્યત્વ એ બેમાંથી વધુ શાને આભારી છે, એ રીતે આ પ્રશ્નનો વિચાર કરતાં કેટલીક વાર મતભેદ ઊભો થાય છે. જગન્નાથે કાવ્યના શબ્દ પર ભાર મૂક્યો. ‘काव्यं श्रुतमर्थो न ज्ञातः ।’ એવા પ્રચલિત પ્રયોગને લક્ષમાં રાખી એણે કહ્યું કે કાવ્યમાં શબ્દ જ પ્રધાન છે, પણ આપણે એમને પૂછી શકીએ કે અર્થ ન સમજાય છતાં માત્ર સાંભળવામાં જ કાવ્યની સાર્થકતા ખરી? અર્થ ન સમજાય તોપણ સારા કાવ્યના શબ્દવિન્યાસનું જ એવું સૌંદર્ય હોય છે કે સંગીતની પેઠે તે કાવ્યરસિકોના હૃદયને આહલાદ આપે છે, એમ તો કુન્તક પણ કહે છે, પણ કાવ્યની સાર્થકતા એમાં હોય એમ એ માનતા નથી. એ સાર્થકતા તો કાવ્યનો અર્થ જ્ઞાત થયા પછી, એનાથી અતિરિક્ત કોઈ ‘પાનકરસ’ના જેવો આસ્વાદ થાય એ એમાં રહેલી છે.<ref>૧. अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसंपदा ।<br>
કાવ્ય શબ્દાર્થનું બનેલું છે એ વાત પ્રથમ દૃષ્ટિએ વિવાદથી પર દેખાય, પણ શબ્દ અને અર્થ બેમાંથી કાવ્યમાં વધારે મહત્ત્વ શાનું, કાવ્યત્વ એ બેમાંથી વધુ શાને આભારી છે, એ રીતે આ પ્રશ્નનો વિચાર કરતાં કેટલીક વાર મતભેદ ઊભો થાય છે. જગન્નાથે કાવ્યના શબ્દ પર ભાર મૂક્યો. ‘काव्यं श्रुतमर्थो न ज्ञातः ।’ એવા પ્રચલિત પ્રયોગને લક્ષમાં રાખી એણે કહ્યું કે કાવ્યમાં શબ્દ જ પ્રધાન છે, પણ આપણે એમને પૂછી શકીએ કે અર્થ ન સમજાય છતાં માત્ર સાંભળવામાં જ કાવ્યની સાર્થકતા ખરી? અર્થ ન સમજાય તોપણ સારા કાવ્યના શબ્દવિન્યાસનું જ એવું સૌંદર્ય હોય છે કે સંગીતની પેઠે તે કાવ્યરસિકોના હૃદયને આહલાદ આપે છે, એમ તો કુન્તક પણ કહે છે, પણ કાવ્યની સાર્થકતા એમાં હોય એમ એ માનતા નથી. એ સાર્થકતા તો કાવ્યનો અર્થ જ્ઞાત થયા પછી, એનાથી અતિરિક્ત કોઈ ‘પાનકરસ’ના જેવો આસ્વાદ થાય એ એમાં રહેલી છે.<ref>अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसंपदा ।<br>
गीतवद्हृदयाह्लादं तद्विदां विदघाति यत् ।।<br>
गीतवद्हृदयाह्लादं तद्विदां विदघाति यत् ।।<br>
वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थवर्जितम् ।<br>
वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थवर्जितम् ।<br>
यत् किमप्यर्पयत्यन्तः पानकास्वादवत् सताम् ।।<br>
यत् किमप्यर्पयत्यन्तः पानकास्वादवत् सताम् ।।<br>
***<br>
{{gap|4em}}***<br>
सरस्वती समभ्येति तदिदानीं विचार्यते ।। <br>
सरस्वती समभ्येति तदिदानीं विचार्यते ।। <br>
(वक्रोक्तिजीवित)</ref>
(वक्रोक्तिजीवित)</ref>
અલબત્ત, જગન્નાથ પોતે કાવ્યની વ્યાખ્યામાં રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દોને જ કાવ્ય કહે છે.
અલબત્ત, જગન્નાથ પોતે કાવ્યની વ્યાખ્યામાં રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દોને જ કાવ્ય કહે છે.
એ જ રીતે કાવ્યમાં અર્થ પ્રધાન અંગ છે, શબ્દ નહિ એમ પણ નહિ કહી શકાય. દરેક શબ્દને વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને અર્થદ્યોતનમાં એ વિશિષ્ટ ધર્મ બજાવે છે, એટલે જ સારા કાવ્યમાં શબ્દની પર્યાયપરિવૃત્તિ નથી થઈ શકતી. કવિતાનો અર્થ, તાત્ત્વિક દૃષ્ટિએ, એના શબ્દથી જુદો પાડી શકાતો નથી. સમજવા કે સમજાવવા આપણે કવિતાના અર્થને બીજા શબ્દથી સમજાવીએ એ જુદી વાત છે.<ref>૧. જુઓ કાવ્યના છંદ, લય અને શબ્દ વિશેનો ક્રોચેનો અભિપ્રાય :<br>If we take from a poem its metre, its rythm and its words, poetical thought does not, as some aspire, remain behind: there remains nothing. Poetry is born as those words, that rythm and that metre.</ref>
એ જ રીતે કાવ્યમાં અર્થ પ્રધાન અંગ છે, શબ્દ નહિ એમ પણ નહિ કહી શકાય. દરેક શબ્દને વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને અર્થદ્યોતનમાં એ વિશિષ્ટ ધર્મ બજાવે છે, એટલે જ સારા કાવ્યમાં શબ્દની પર્યાયપરિવૃત્તિ નથી થઈ શકતી. કવિતાનો અર્થ, તાત્ત્વિક દૃષ્ટિએ, એના શબ્દથી જુદો પાડી શકાતો નથી. સમજવા કે સમજાવવા આપણે કવિતાના અર્થને બીજા શબ્દથી સમજાવીએ એ જુદી વાત છે.<ref>જુઓ કાવ્યના છંદ, લય અને શબ્દ વિશેનો ક્રોચેનો અભિપ્રાય :<br>If we take from a poem its metre, its rythm and its words, poetical thought does not, as some aspire, remain behind: there remains nothing. Poetry is born as those words, that rythm and that metre.</ref>
ટૂંકમાં, કાવ્યમાં તો શબ્દ અને અર્થ સંપૃક્ત જ રહે છે. બંનેનું સરખું મહત્ત્વ છે. એમાં શબ્દ હોવો જોઈએ, પણ અર્થવાળો, એમાં અર્થ હોવો જોઈએ, પણ શબ્દથી વ્યકત થતો.
ટૂંકમાં, કાવ્યમાં તો શબ્દ અને અર્થ સંપૃક્ત જ રહે છે. બંનેનું સરખું મહત્ત્વ છે. એમાં શબ્દ હોવો જોઈએ, પણ અર્થવાળો, એમાં અર્થ હોવો જોઈએ, પણ શબ્દથી વ્યકત થતો.
અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.
અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.
Line 26: Line 26:
'''૨. અદોષતા :'''
'''૨. અદોષતા :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રતાપરુદ્રીય’ પર ટીકા લખતાં કુમારસ્વામીએ જે લખ્યું છે તે અહીં મમ્મટના સમર્થનમાં ટાંકી શકાય કે પ્રમાદથી કે બીજા કોઈ કારણથી નાનો દોષ પણ ઉપેક્ષા કરવા લાયક નથી એમ દર્શાવવા જ દોષવર્જનના તત્ત્વને વ્યાખ્યામાં પ્રથમ સ્થાન આપ્યું છે. કાવ્યરચનાની પ્રાથમિક કેળવણી લેનારને માટે આ સૂચના કદાચ જરૂરની થઈ પડે, પણ શુદ્ધ શાસ્ત્રીય વ્યાખ્યામાં અદોષતાને સ્થાન આપવું બહુ ઉચિત નથી, કારણ કે એથી વ્યાખ્યામાં અવ્યાપ્તિને દોષ આવે છે. મમ્મટે પોતે તેમજ બીજા આલંકારિકોએ કાલિદાસ જેવા સાહિત્યસ્વામીઓની રચનાના દોષો ક્યાં નથી બતાવ્યા? પણ તેથી શું એ રચનાઓ કાવ્ય મટી જવાની? ઊલટાનું, ગોલ્ડસ્મિથ કહે છે તેમ એવું પણ બને કે અનેક દોષોવાળી કોઈ કૃતિ આપણને સાચો કાવ્યાનંદ આપે, પણ સર્વથા અદોષ એવી કોઈ કૃતિ નીરસ પણ લાગે !<ref>૧. A book may be amusing with numerous errors or it may be dull without a single absurdity.</ref> વળી, આવું નિષેધાત્મક લક્ષણ કોઈ વ્યાખ્યામાં ઇષ્ટ ન ગણાય.  
‘પ્રતાપરુદ્રીય’ પર ટીકા લખતાં કુમારસ્વામીએ જે લખ્યું છે તે અહીં મમ્મટના સમર્થનમાં ટાંકી શકાય કે પ્રમાદથી કે બીજા કોઈ કારણથી નાનો દોષ પણ ઉપેક્ષા કરવા લાયક નથી એમ દર્શાવવા જ દોષવર્જનના તત્ત્વને વ્યાખ્યામાં પ્રથમ સ્થાન આપ્યું છે. કાવ્યરચનાની પ્રાથમિક કેળવણી લેનારને માટે આ સૂચના કદાચ જરૂરની થઈ પડે, પણ શુદ્ધ શાસ્ત્રીય વ્યાખ્યામાં અદોષતાને સ્થાન આપવું બહુ ઉચિત નથી, કારણ કે એથી વ્યાખ્યામાં અવ્યાપ્તિને દોષ આવે છે. મમ્મટે પોતે તેમજ બીજા આલંકારિકોએ કાલિદાસ જેવા સાહિત્યસ્વામીઓની રચનાના દોષો ક્યાં નથી બતાવ્યા? પણ તેથી શું એ રચનાઓ કાવ્ય મટી જવાની? ઊલટાનું, ગોલ્ડસ્મિથ કહે છે તેમ એવું પણ બને કે અનેક દોષોવાળી કોઈ કૃતિ આપણને સાચો કાવ્યાનંદ આપે, પણ સર્વથા અદોષ એવી કોઈ કૃતિ નીરસ પણ લાગે !<ref>A book may be amusing with numerous errors or it may be dull without a single absurdity.</ref> વળી, આવું નિષેધાત્મક લક્ષણ કોઈ વ્યાખ્યામાં ઇષ્ટ ન ગણાય.  
મમ્મટની કાવ્યની વ્યાખ્યામાં ગણાવાયેલા આ લક્ષણની વિશ્વનાથ ખૂબ ટીકા કરે છે, જ્યારે ‘ઉદ્યોત’ ટીકાના લેખક મમ્મટને ન્યાય આપવા પ્રયત્ન કરતાં કહે છે કે અહીં દોષ એટલે સ્ફુટ અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.
મમ્મટની કાવ્યની વ્યાખ્યામાં ગણાવાયેલા આ લક્ષણની વિશ્વનાથ ખૂબ ટીકા કરે છે, જ્યારે ‘ઉદ્યોત’ ટીકાના લેખક મમ્મટને ન્યાય આપવા પ્રયત્ન કરતાં કહે છે કે અહીં દોષ એટલે સ્ફુટ અને રસાવબોધમાં વિઘ્ન ઊભાં કરે એવા દોષ સમજવાના છે. જોકે મમ્મટે આવું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી.
{{Poem2Close}}  
{{Poem2Close}}