23,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 10: | Line 10: | ||
મધુર અથવા માધુર્ય રસ તો વૈષ્ણવોએ શૃંગારને આપેલું નામ છે. તેમની ભક્તિ પ્રેમલક્ષણા છે અને તેનું ઉપાદાન છે દેવવિષયક રતિ. તેઓ કૃષ્ણને બાળસ્વરૂપે જુએ છે, તેમ ગોપીજનવલ્લભરૂપે પણ જુએ છે. આથી એમનો ભક્તિરસ વત્સલ કે શૃંગારને મળતો આવે. પણ શૃંગારનો રૂઢ અર્થ એમના આ ભક્તિભાવને વ્યક્ત કરવામાં કામ આવે તેમ નથી; કારણ કે સામાન્ય રીતે એને કામદેવના પ્રભાવનું ફળ માનવામાં આવે છે. આથી વૈષ્ણવોએ પોતાની પ્રેમલક્ષણા ભક્તિના ભાવને વ્યક્ત કરવા શૃંગારને બદલે મધુર અથવા માધુર્ય રસ એવો શબ્દ યોજ્યો છે. | મધુર અથવા માધુર્ય રસ તો વૈષ્ણવોએ શૃંગારને આપેલું નામ છે. તેમની ભક્તિ પ્રેમલક્ષણા છે અને તેનું ઉપાદાન છે દેવવિષયક રતિ. તેઓ કૃષ્ણને બાળસ્વરૂપે જુએ છે, તેમ ગોપીજનવલ્લભરૂપે પણ જુએ છે. આથી એમનો ભક્તિરસ વત્સલ કે શૃંગારને મળતો આવે. પણ શૃંગારનો રૂઢ અર્થ એમના આ ભક્તિભાવને વ્યક્ત કરવામાં કામ આવે તેમ નથી; કારણ કે સામાન્ય રીતે એને કામદેવના પ્રભાવનું ફળ માનવામાં આવે છે. આથી વૈષ્ણવોએ પોતાની પ્રેમલક્ષણા ભક્તિના ભાવને વ્યક્ત કરવા શૃંગારને બદલે મધુર અથવા માધુર્ય રસ એવો શબ્દ યોજ્યો છે. | ||
આમ જોઈએ તો વત્સલ કે ભક્તિ પણ શૃંગારથી તત્ત્વતઃ ભિન્ન નથી. બધાનું ઉપાદાન તો સમાન છે- રતિ. ભક્તિમાં દેવવિષયક રતિ છે, તો વત્સલમાં સંતાનવિષયક રતિ છે; ભેદ માત્ર આલંબનનો છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવળ દામ્પત્યવિષયક રતિ હોય તેને જ આપણે શૃંગારમાં સ્થાન આપી શકીએ કે કેમ? કાવ્યશાસ્ત્રીઓ તો દેવવિષક કે સંતાનવિષયક રતિને રસધ્વનિકાવ્ય નહિ, પણ ભાવધ્વનિકાવ્યમાં સ્થાન આપે છે; એટલે કે દામ્પત્યવિષયક, દેવવિષયક, સંતાનવિષયક આદિ રતિની સજાતીયતા તેઓ સ્વીકારે છે, પણ દેવવિષયક કે સંતાનવિષયક રતિ માત્ર ભાવરૂપે આસ્વાદ્ય બને, રસરૂપે ન પરિણમે એમ તેઓ કહે છે. આનું કારણ એવી માન્યતામાં રહેલું જણાય છે કે સંતાન, દેવ આદિ વિષયોમાં ચિત્ત એટલું દ્રવણશીલ ન બની સકે. જેટલું દામ્પત્યવિષયમાં બની શકે છે. એટલે પ્રશ્ન અંતે તો માન્યતાનો આવીને ઊભો રહે છે. આપણે જો એમ માનતા હોઈએ કે સંતાન, દેવ આદિ વિષયોમાં પણ આપણું ચિત્ત એટલું જ દ્રવણશીલ બની શકે, તો સંતાન, દેવ આદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પી શકીએ. વત્સલ, ભક્તિ આદિ રસનો પાછળથી થયેલો સ્વીકાર આવા માન્યતાભેદને આભારી છે. | આમ જોઈએ તો વત્સલ કે ભક્તિ પણ શૃંગારથી તત્ત્વતઃ ભિન્ન નથી. બધાનું ઉપાદાન તો સમાન છે- રતિ. ભક્તિમાં દેવવિષયક રતિ છે, તો વત્સલમાં સંતાનવિષયક રતિ છે; ભેદ માત્ર આલંબનનો છે. એટલે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવળ દામ્પત્યવિષયક રતિ હોય તેને જ આપણે શૃંગારમાં સ્થાન આપી શકીએ કે કેમ? કાવ્યશાસ્ત્રીઓ તો દેવવિષક કે સંતાનવિષયક રતિને રસધ્વનિકાવ્ય નહિ, પણ ભાવધ્વનિકાવ્યમાં સ્થાન આપે છે; એટલે કે દામ્પત્યવિષયક, દેવવિષયક, સંતાનવિષયક આદિ રતિની સજાતીયતા તેઓ સ્વીકારે છે, પણ દેવવિષયક કે સંતાનવિષયક રતિ માત્ર ભાવરૂપે આસ્વાદ્ય બને, રસરૂપે ન પરિણમે એમ તેઓ કહે છે. આનું કારણ એવી માન્યતામાં રહેલું જણાય છે કે સંતાન, દેવ આદિ વિષયોમાં ચિત્ત એટલું દ્રવણશીલ ન બની સકે. જેટલું દામ્પત્યવિષયમાં બની શકે છે. એટલે પ્રશ્ન અંતે તો માન્યતાનો આવીને ઊભો રહે છે. આપણે જો એમ માનતા હોઈએ કે સંતાન, દેવ આદિ વિષયોમાં પણ આપણું ચિત્ત એટલું જ દ્રવણશીલ બની શકે, તો સંતાન, દેવ આદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પી શકીએ. વત્સલ, ભક્તિ આદિ રસનો પાછળથી થયેલો સ્વીકાર આવા માન્યતાભેદને આભારી છે. | ||
આ પ્રમાણે દેવસંતાનાદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પીએ, છતાં એના ભિન્ન રસો કલ્પવા બરોબર છે? શૃંગારની અંદર એમને સમાવિષ્ટ ન કરી શકાય? શૃંગાર અને રતિની, ભરતમુનિએ આપેલી ‘यत् किञ्चित् लोके शुचि मेध्यम् उज्जवलं दर्शनीयं वा तत् शृङ्गारेण उपमीयते | આ પ્રમાણે દેવસંતાનાદિવિષયક રતિને આપણે રસરૂપે પરિણમતી કલ્પીએ, છતાં એના ભિન્ન રસો કલ્પવા બરોબર છે? શૃંગારની અંદર એમને સમાવિષ્ટ ન કરી શકાય? શૃંગાર અને રતિની, ભરતમુનિએ આપેલી ‘यत् किञ्चित् लोके शुचि मेध्यम् उज्जवलं दर्शनीयं वा तत् शृङ्गारेण उपमीयते ।’<ref>જગતમાં જે કાંઈ પવિત્ર, કલ્યાણકારી, ઉજ્જવળ અને દર્શનીય છે, તેને શૃંગારની ઉપમા આપવામાં આવે છે.</ref> અને ‘रतिर्मनोनुकूलेऽर्थे मनसः प्रवणायितम् ।’<ref>મનને અનુકૂલ એવા અર્થ - પદાર્થ કે વસ્તુ પ્રત્યે મન ઉન્મુખ કે દ્રવણશીલ બને એનું નામ રતિ.</ref> એવી વ્યાપક વ્યાખ્યાઓ સ્વીકારીએ તો દેવસંતાનાદિવિષયક રતિને શૃંગારરસરૂપે પરિણમતી કલ્પી શકાય. પણ શૃંગાર શબ્દનો જે રૂઢ અર્થ છે તે દામ્પત્યવિષયક રતિને જ અનુલક્ષે છે અને ભારતીય કાવ્યશાસ્ત્રીઓ પણ સામાન્ય રીતે એ જ અર્થમાં એને પ્રયોજે છે. આથી જ તો જેમણે દામ્પત્ય સિવાયની રતિને રસરૂપે પરિણમતી કલ્પી, તેમણે એને માટે જુદાં જ નામો યોજ્યાં. | ||
ભક્તિને ભરતમુનિએ શાંતરસની અંતર્ગત માનેલ છે. એમ કહી શકાય કે ભક્તિ જ્યારે તત્ત્વચિંતનથી પ્રેરાયેલી હોય ત્યારે એનો શાંતમાં સમાવેશ કરીએ; જેમ કે અખાની ભક્તિ. પણ એ જ્યારે પ્રેમલક્ષણ હોય ત્યારે એને કાં તો શૃંગારની અંતર્ગત માનવી પડે કે એને માટે વૈષ્ણવોની જેમ માધુર્ય રસ અથવા તો ભક્તિરસની યોજના કરવી પડે. | ભક્તિને ભરતમુનિએ શાંતરસની અંતર્ગત માનેલ છે. એમ કહી શકાય કે ભક્તિ જ્યારે તત્ત્વચિંતનથી પ્રેરાયેલી હોય ત્યારે એનો શાંતમાં સમાવેશ કરીએ; જેમ કે અખાની ભક્તિ. પણ એ જ્યારે પ્રેમલક્ષણ હોય ત્યારે એને કાં તો શૃંગારની અંતર્ગત માનવી પડે કે એને માટે વૈષ્ણવોની જેમ માધુર્ય રસ અથવા તો ભક્તિરસની યોજના કરવી પડે. | ||
આપણે આરંભમાં જ જોયું કે રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે. પ્રજાજીવનનો લાંબો ગાળો લઈએ તો કેટલાક ભાવો ઓછા ઉત્કટ થતા જાય, કેટલાક વધારે ઉત્કટ થતા જાય, કેટલાક નવા ભાવો પણ જાગે. આને લીધે રસની સંખ્યામાં પણ ફેરફાર કરવાનો પ્રસંગ આવે. ઉદાહરણ તરીકે, આજે આપણા જીવનમાં દેશભક્તિનો જે ભાવ જાગ્યો છે તે નવો છે. એ ભાવ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય પણ છે. એટલે એને માટે જુદો રસ કલ્પવો જોઈએ. | આપણે આરંભમાં જ જોયું કે રસનું ઉપાદાન માનવમનના અનેકવિધ ભાવો છે. પ્રજાજીવનનો લાંબો ગાળો લઈએ તો કેટલાક ભાવો ઓછા ઉત્કટ થતા જાય, કેટલાક વધારે ઉત્કટ થતા જાય, કેટલાક નવા ભાવો પણ જાગે. આને લીધે રસની સંખ્યામાં પણ ફેરફાર કરવાનો પ્રસંગ આવે. ઉદાહરણ તરીકે, આજે આપણા જીવનમાં દેશભક્તિનો જે ભાવ જાગ્યો છે તે નવો છે. એ ભાવ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય પણ છે. એટલે એને માટે જુદો રસ કલ્પવો જોઈએ.<ref>જુઓ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ‘રસપરામર્શશક્તિની વિકાસક્ષમતા ને સામાજિકની તટસ્થતા’ એ લેખ : ‘ઉપાયન’ : પૃ.૧૩૯-૧૪૨</ref> સંસ્કૃત કવિતામાં પ્રકૃતિવર્ણન આવતું, પણ કાવ્યશાસ્ત્રીઓએ પ્રકૃતિને ભાવના આલંબન તરીકે નથી જોઈ. એને માત્ર ઉદ્દીપનવિભાવ જ ગણી છે. આજે કવિઓ પ્રકૃતિને માત્ર પ્રકૃતિરૂપે જોઈ એની રમણીયતાનું વર્ણન કરે છે. આવાં શુદ્ધ પ્રકૃતિવર્ણનના કાવ્યોમાં કોઈક જુદો રસ કલ્પવો પડશે. (જોકે પ્રકૃતિ ઘણી વાર અદ્ભુત કે ભયાનક રસનો આલંબનવિભાવ બને છે.) પ્રકૃતિનું રમણીય દર્શનીય તત્ત્વરૂપે વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે ભાવ તો જાગે છે રતિનો; તેથી એને કાં તો શૃંગારમાં સમાવિષ્ટ કરવો પડે, અથવા ભક્તિની જેમ કોઈ જુદો રસ સ્વીકારવો પડે. | ||
આમ, રસની સંખ્યા અંગે ફેરફાર તેમજ મતભેદને અવકાશ છે. કાવ્યશાસ્ત્રીઓએ એમાં જડતા બતાવી નથી, આપણે પણ બતાવવાની જરૂર નથી. | આમ, રસની સંખ્યા અંગે ફેરફાર તેમજ મતભેદને અવકાશ છે. કાવ્યશાસ્ત્રીઓએ એમાં જડતા બતાવી નથી, આપણે પણ બતાવવાની જરૂર નથી. | ||
રસની સંખ્યા અંગે કેટલીક વાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે રસ એ રસ, એનું સ્વરૂપ એક એને અખંડિત છે, એ કેવળ આનંદસ્વરૂપ છે, એના ભેદપ્રભેદ કેવી રીતે હોઈ શકે? પણ આપણે આરંભમાં જ જોયું તેમ રસનો આત્મા આનંદ ખરો, પણ એ આનંદનું પૃથક્કરણ કરતાં જ આપણને એનાં ભિન્ન ભિન્ન રૂપો પ્રાપ્ત થાય છે. જેમ ભોજનના છયે રસો આનંદદાયક છે, પણ દરેકમાં સ્વાદ જુદો જુદો છે, તેમ ભિન્ન ભિન્ન રસોનો અનુભવ આનંદદાયક છે, પણ એમાં આસ્વાદ જુદો જુદો છે. આનું કારણ એમની ઉપાદાનસામગ્રીમાં રહેલો ભેદ છે. કવિ કર્ણપૂર આ હકીકત સરસ રીતે સ્પષ્ટ કરે છે. એ કહે છે કે રજોગઉમ ને તમોગુણથી અલિપ્ત એવા વિશુદ્ધ સત્ત્વગુણસંપન્ન ચિત્તનો આસ્વાદકંદ નામનો કોઈક અપૂર્વ અને વિશિષ્ટ ધર્મ છે; સર્વ રસાસ્વાદમાં મૂળભૂત એ જ સ્થાયી છે અને એ જ રસ છે. આનંદ એનો ધર્મ હોઈ એનું હમેશ ‘ઐકધ્ય’ હોય છે. એમાં વિવિધતા સંભવતી નથી. વિવિધતા છે તે ઉપાધિભેદને લીધે છે. જેમ સૂર્યનું કિરણ એક હોવા છતાં ભિન્ન ભિન્ન સ્થાને પ્રતિફલિત થઈને ભિન્ન ભિન્ન રૂપ ઉત્પન્ન કરે છે, તેમ રતિ આદિ ભાવોરૂપ ઉપાધિને કારણે એમાં વિવિધતા દેખાય છે. એટલે કે જે ભેદ છે તે ઉપાધિઓમાં છે, રસના આનંદસ્વરૂપમાં નહિ. અભિનવગુપ્ત પણ મૂળ એક અનામિક મહારસ છે અને રસના પ્રકારો એ મહારસના વિવર્તો છે એમ સમજાવે છે. | રસની સંખ્યા અંગે કેટલીક વાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે રસ એ રસ, એનું સ્વરૂપ એક એને અખંડિત છે, એ કેવળ આનંદસ્વરૂપ છે, એના ભેદપ્રભેદ કેવી રીતે હોઈ શકે? પણ આપણે આરંભમાં જ જોયું તેમ રસનો આત્મા આનંદ ખરો, પણ એ આનંદનું પૃથક્કરણ કરતાં જ આપણને એનાં ભિન્ન ભિન્ન રૂપો પ્રાપ્ત થાય છે. જેમ ભોજનના છયે રસો આનંદદાયક છે, પણ દરેકમાં સ્વાદ જુદો જુદો છે, તેમ ભિન્ન ભિન્ન રસોનો અનુભવ આનંદદાયક છે, પણ એમાં આસ્વાદ જુદો જુદો છે. આનું કારણ એમની ઉપાદાનસામગ્રીમાં રહેલો ભેદ છે. કવિ કર્ણપૂર આ હકીકત સરસ રીતે સ્પષ્ટ કરે છે. એ કહે છે કે રજોગઉમ ને તમોગુણથી અલિપ્ત એવા વિશુદ્ધ સત્ત્વગુણસંપન્ન ચિત્તનો આસ્વાદકંદ નામનો કોઈક અપૂર્વ અને વિશિષ્ટ ધર્મ છે; સર્વ રસાસ્વાદમાં મૂળભૂત એ જ સ્થાયી છે અને એ જ રસ છે. આનંદ એનો ધર્મ હોઈ એનું હમેશ ‘ઐકધ્ય’ હોય છે. એમાં વિવિધતા સંભવતી નથી. વિવિધતા છે તે ઉપાધિભેદને લીધે છે. જેમ સૂર્યનું કિરણ એક હોવા છતાં ભિન્ન ભિન્ન સ્થાને પ્રતિફલિત થઈને ભિન્ન ભિન્ન રૂપ ઉત્પન્ન કરે છે, તેમ રતિ આદિ ભાવોરૂપ ઉપાધિને કારણે એમાં વિવિધતા દેખાય છે. એટલે કે જે ભેદ છે તે ઉપાધિઓમાં છે, રસના આનંદસ્વરૂપમાં નહિ. અભિનવગુપ્ત પણ મૂળ એક અનામિક મહારસ છે અને રસના પ્રકારો એ મહારસના વિવર્તો છે એમ સમજાવે છે. | ||