ભજનરસ/ઉપાડી ગાંસડી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઉપાડી ગાંસડી | }} {{Block center|<poem> '''ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?''' '''નબળાની હોય તો નાખી રે દઈએ,''' {{right|'''આ તો વેવારિયા શેઠની રે,'''}} {{right|'''કેમ નાખી દેવાય?-'''}} '''અણતોળી ગાંસડી ને અડવાણા...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 9: Line 9:
{{right|'''આ તો વેવારિયા શેઠની રે,'''}}
{{right|'''આ તો વેવારિયા શેઠની રે,'''}}
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}  
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}  
'''અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું,'''  
'''અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું,'''  
{{right|'''એની નજર રાખવી ઠેઠની રે,'''}}
{{right|'''એની નજર રાખવી ઠેઠની રે,'''}}
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}  
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}
   
'''ઝીણી ઝીણી રેતી તપે છે.'''  
'''ઝીણી ઝીણી રેતી તપે છે.'''  
{{right|'''લૂ તો ઝરે છે માસ જેઠની રે,'''}}
{{right|'''લૂ તો ઝરે છે માસ જેઠની રે,'''}}
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}  
{{right|'''કેમ નાખી દેવાય?-'''}}  
'''મીરાં કે પ્રભુ ગિરધર નાગર,'''
'''મીરાં કે પ્રભુ ગિરધર નાગર,'''
{{right|'''દાઝ્યું ઓલાય મારા પેટની રે,'''}}
{{right|'''દાઝ્યું ઓલાય મારા પેટની રે,'''}}
Line 39: Line 42:
વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ? ગાંસડી તો અણતોળી જ ઉપાડી લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા.મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :
વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ? ગાંસડી તો અણતોળી જ ઉપાડી લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા.મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મેરો મન લાગો હરિજી સૂં'''
'''અબ ન રહૂંગી અટકી.'''
</poem>}}
{{Poem2Open}}
આપણને પણ પ્રશ્ન થાય. ભક્તોને જીવનનો બોજો કે થાક કેમ નહીં લાગતો હોય? સંસારનાં સંકટો વચ્ચે આંતરિક સાધનાનો તાર એ કેમ
કરી જાળવી રાખતા હશે? એનો જવાબ રવીન્દ્રનાથના એક મુક્તકમાં છે. એ કહે છેઃ
{{Poem2Close}}
{{Block center|<poem>
''''તુમિ જત ભાર દિયેછો પ્રભુ,'''
{{right|'''દિયેછો કરિ સોજા,'''}}
'''આમિ જત ભાર જમિયે તુલેછિ'''
{{right|'''સકલિ હોયે છિ બોજા.'''}}
</poem>}}
{{Poem2Open}}
પ્રભુ તમે જેટલો ભાર આપો છો એ તો હળવો કરીને આપો છો, પણ હું જે કાંઈ ભાર ભેળો કરી રાખું છું એ તમામ બોજો બની જાય છે.’
તો આ રહસ્ય છે. જે આપે છે એ તો હળવે હાથે, હળવું કરીને આપે છે. પણ આપણે ભૂત અને ભાવિની વ્યથાઓ-ચિંતાઓ-આશા-નિરાશાઓનો જે ગંજ ખડકીએ છીએ એ જ બોજો બની જાય છે. એક સંતે આ વાત વર્તમાનની ટચલી આંગળી પર ઉપાડીને કહી છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''બીતત સો ચિંતત નહીં, આગે કરે નહીં આસ,'''
'''આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.'''
</poem>}}
{{Poem2Open}}
મીરાં માત્ર હિરની દાસી નથી, હિરની લાડલી છે, એટલે આ વાત વધુ સારી રીતે સમજી શકે ને?
{{Poem2Close}}
{{center|'''ઝીણી ઝીણી... માસ જેઠની-'''}}
{{Poem2Open}}
મીરાંનાં પગલાં હળવાં પડતાં હશે પણ પેલાં ગાંસડી જોનારને હૈયે મ નહીં હોય. એ વળી પૂછતા જણાય છે : ચાલો, ગાંસડી ભલે અણતોળી રહી, ભલે પગરખાં ન પહેર્યાં પણ તારો રસ્તો કેવોક છે? એ તો મોટા ધણીનો મારગ એટલે ફૂલથી ભરેલ ને ઘટાદાર છાયાથી છવાયેલો જ હશે ને! એમાં કાંઈ કહેવાનું હોય? મીરાંના જવાબમાં ત્રણ વસ્તુઓ આંખો સામે તરવરી રહે છે ઃ ઊની ઊની અને ઝીણી હોવાથી ઊડતી રણની રેતી, જેઠ મહિનાનો આકરો તાપ અને લૂ-ઝરતા વાયરા. પણ પેલી ધ્રુવપંક્તિ એ સર્વને હસી કાઢી, સામે જ પૂછે છે : કેમ નાખી દેવાય? —ઉપાડી ગાંસડી વેઠની.
{{Poem2Close}}
{{center|'''મીરાં કે પ્રભુ... પેટની રે-'''}}
{{Poem2Open}}
ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કે એના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં? વિશ્રામ ક્યાં? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે. એને ઠારવા માટે મેં આ પંથ લીધો છે, આ ગાંસડી ઉપાડી છે. હવે તો આ માર્ગ મૂકવા માગું તોયે મૂકી શકું એમ નથી. મીરાંની વાણી :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''હરિવર મૂક્યો કેમ જાય?'''
'''હવે મુજથી હરિવર મૂક્યો કેમ જાય?'''
'''નંદકુંવર સાથે નેડલો બંધાણો'''
{{right|'''પ્રાણ ગયે ન છુટાય.'''}}
</poem>}}
{{Poem2Open}}
આવી પ્રાણથીયે વધુ પ્રબળ ઝંખના માટે કહેવાયું હશે :
{{Poem2Close}}
{{center|'''હરિ ન વિસરે, તેને હરિ ન વિસારે.'''}}
{{HeaderNav2
|previous = દવ તો લાગેલ
|next = દીવડા વિના
}}
19,010

edits