ભજનરસ/નિગમ વેદનો નાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 67: Line 67:
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.
સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.
{{Poem2Close}}
{{center|'''જીવ જગત... ખટપટનો ખટકો રે'''}}
{{Poem2Open}}
જીવના અજ્ઞાનને કારણે દેખાતો જગતનો તમાશો વિરમી ગયો. ન રહ્યો જીવ, ન રહ્યું જગત. બંને અણછતાં થઈ ગયાં. તિરોધાન પામ્યાં. ઘટને મૂળમાં જોવા જઈએ તો બધાય ઘટમાં કેવળ માટી જોવા મળે, અને દરેક પટને ઉકેલી જોતાં તંતુઓ જ મળે, એવું એક જ તત્ત્વનું દર્શન થયું. બહારના રંગ, રૂપ, આકારના વિરોધાભાસો શમી ગયા. આવો અનુભવ થતાં ‘નિષેધ-પદ' એટલે કે વાસના તૃષ્ણા દ્વારા ઊપજતા નિષિદ્ધ કર્મનો પ્રદેશ તો ક્યાંયે નીચે રહી ગયો. કાદવમાંથી કમળ બહાર આવી ગયું. નિષેધ-પદ'ની જેમ મૂળદાસે ‘તત્ત્વપદ'ની વાત કરી છે. એક બીજા પ્રભાતિયામાં તે કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''લક્ષારથનો લક્ષ થયો છે,'''
{{right|'''જગત વાસના જાણી રે,'''}}
'''તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,'''
{{right|'''મહા વાયકની વાણી રે.'''}}
</poem>}}
{{Poem2Open}}
ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી.
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 09:00, 20 May 2025


નિગમ વેદનો નાદ

નિગમ વેદનો નાદ સાંભળી
મારા ચિત્તમાં લાગ્યો ચટકો રે
જાગીને જોતાં મિથ્યા માયા
માંડ કર્યો છે મટકો રે-
જીવ જગત બેઉ અણછતાં છે,
ઘટપટાદિક ઘટકો રે,
નિષેધ-પદ તો નિશ્ચે ગયું છે,
હવે નહીં ખટપટનો ખટકો રે-
નર નાટકમાં, નાટક નરમાં,
નાચ નિરંતર નટકો રે,
મૂળદાસ સોં બ્રહ્મ સનાતન
વ્યાપક બીજ વટકો રે-
નિગમ વેદનો નાદ સાંભળી.

નરસિંહના પ્રભાતિયાંની જેમ મૂળદાસનાં પ્રભાતિયાં પણ બ્રહ્મ અને લીલાનો અભેદ-ઓચ્છવ સુંદર વાણીમાં ઊજવતાં જાય છે. પ્રભાતિયાં એટલે જ નિદ્રાભંગ માટે બજી ઊઠતાં ચોઘડિયાં. અહીં વેદનાદ કૃષ્ણનો વેણુનાદ બની માનવ-પ્રાણને જગાડે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> નિગમ વેદનો... મટકો રે

ભાગવતને નિગમ કલ્પતનું રસથી દ્રવી પડતું ફળ કહેવામાં આવે છે. રસરાજની બંસીમાંથી આ અમૃત-૨સ ઝરે છે. એને જરાક ચાખતાં જ ચિત્તનું સ્વરૂપ પલટી જાય છે. એકવાર ચિત્તને આ રસનો ચટકો લાગે પછી તેને બીજે ક્યાંયે ચેન પડતું નથી. આપણી ભાષામાં આ ‘ચટકો' શબ્દ ગજબનો ચોટડુક છે. એ ઝીણો ડંખ બની મારે છે ને ઊંડો સ્વાદ બની જિવાડે છે. રસનો તો ચટકો હોય, કૂંડાં ન હોય' એ કહેવતમાં પણ જરા જેટલી માત્રામાં રુંવાડાં પલટી નાખતી ચટકાની અસર વ્યક્ત થઈ છે. ‘ચટકો' લાગે ત્યારે વિરહની વેદના વધે છે ને સાથે સ્મરણનો સ્વાદ પણ વધતો જાય છે. સૂફી એને કહે છે : ‘લતીફ ખલિશ‘-મજેદાર ખટકો. મૂળદાસે એક રાસમાં આ વેદના-માધુરીને કિલ્લોલતી કરી છે :

હરિ વેણ વાય છે રે હો વનમાં
તેનો ગ્રહ વધ્યો મારા તનમાં.
ચિત્તડામાં ચટપટી રે હો લાગી,
જીવણ જોવાને હું જાગી,
ત્રિભુવન નીરખ્યા રે હો તમને
મૂળદાસ મહાસુખ પામ્યા મંનમાં-
હરિવેણ વાય છે રે હો વનમાં.’

ચિત્તની બહિવૃત્તિ એટલે જગતની ઉત્પત્તિ, ચિત્તની અંતવૃત્તિ એટલે જગતનો નાશ અને જગદીશની ઝાંખી. ચિત્તનો આત્યંતિક પ્રલય એ જ બ્રહ્મજ્ઞાન જે કોઈ જાગ્યા તેમણે આ ભેદ-વિભેદનું જગત જોયું નથી, જોયું છે એક અવિનાશી તત્ત્વને સભર સચરાચરે. નરસિંહની સાખે :

જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

ઇન્દ્રિયો જાગે ત્યાં સુધી માયાનો નાટારંભ, આત્મા જાગે એટલે માયા મિથ્યા. અવસ્તુની જેમ ઊડી ગયેલી ભ્રમણા. પણ માયા કેવી રીતે મિથ્યા બને? દુર્ગાપાઠમાં વૈષ્ણવી માયા વિશે કહ્યું છે કે :

ત્વ વૈષ્ણવી શક્તિરનન્તવીર્ય,
વિશ્વસ્ય બીજું પરમાસિ માયા,
સમ્મોહિતં દેવિ, સમસ્તમેતત્
ત્યું થૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ
‘તું વૈષ્ણવી શક્તિ મહાબલિષ્ઠા
તું વિશ્વની કારણભૂત માયા,
રાખ્યું કરી મૌષ્તિ સર્વ, દેવી,
રાજી તું થા તો ભવમુક્તિ આપે.'

આ વૈષ્ણવી માયાને કારણ-માયા પણ કહે છે. અનંત કાળથી અવિઘાના પાશમાં પડેલો જીવ આ વિશ્વના બીજરૂપી મહામાયાનો કૃપાકટાક્ષ પામે તો જ મુક્ત થઈ શકે. માંડ કર્યો છે મટકો' — અનેક જન્મોના પુણ્યોદય પછી એ પરમાત્મ-શક્તિએ ‘ચેતન-ચેષ્ટા' કરી અને જડતાના પડદા હટાવી દીધા. મૂળદાસે એક પ્રભાતિયામાં આ માયાબીજ વિશે કહ્યું . છે :

સો બીજકા સફ્ળ પસારા, સરવે ઉનકી માયા રે,
મૂળદાસ કહે સો અવિનાશી, ગુરુ પ્રતાપે પાયા રે.

સર્વત્ર એક પરમાત્માના જ્યોતિતરંગો વિલસી રહે, પછી જીવ બુદબુદમાં બંધાતો નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> જીવ જગત... ખટપટનો ખટકો રે

જીવના અજ્ઞાનને કારણે દેખાતો જગતનો તમાશો વિરમી ગયો. ન રહ્યો જીવ, ન રહ્યું જગત. બંને અણછતાં થઈ ગયાં. તિરોધાન પામ્યાં. ઘટને મૂળમાં જોવા જઈએ તો બધાય ઘટમાં કેવળ માટી જોવા મળે, અને દરેક પટને ઉકેલી જોતાં તંતુઓ જ મળે, એવું એક જ તત્ત્વનું દર્શન થયું. બહારના રંગ, રૂપ, આકારના વિરોધાભાસો શમી ગયા. આવો અનુભવ થતાં ‘નિષેધ-પદ' એટલે કે વાસના તૃષ્ણા દ્વારા ઊપજતા નિષિદ્ધ કર્મનો પ્રદેશ તો ક્યાંયે નીચે રહી ગયો. કાદવમાંથી કમળ બહાર આવી ગયું. નિષેધ-પદ'ની જેમ મૂળદાસે ‘તત્ત્વપદ'ની વાત કરી છે. એક બીજા પ્રભાતિયામાં તે કહે છે :

લક્ષારથનો લક્ષ થયો છે,
જગત વાસના જાણી રે,
તત્ત્વપદ તો નિશ્ચે થયું છે,
મહા વાયકની વાણી રે.

ઉપનિષદના રૂપક દ્વારા ભજનને સમજીએ તો બ્રહ્મના લક્ષ્યમાં આત્માનું તીર ખેંચી જાય તો પછી તે બહાર નીકળતું નથી. લક્ષ્યાર્થ થાય, તત્ત્વપદની પ્રાપ્તિ થાય પછી ખટપટનો ખટકો' રહેતો નથી. ખટપટ અથવા ષડ્રપુઓના પંજામાં ફરી તો નહીં પડી જવાય એવો અંદેશો ઓસરી જાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની ખટપટ તો શું, એનો ભય કે ઉદ્વેગ પણ અહીં ફરકતો નથી. હવે ક્યાંયે તરાતા વાંસ જેવી ખટરાગની વાણી નહીં, સઘળે અનુરાગની મધુમય બંસી.