અનુષંગ/કલ્પનનું સ્વરૂ૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|  કલ્પનનું સ્વરૂ૫ |  }}
{{Heading|  કલ્પનનું સ્વરૂ૫<ref>C. Day Lewisના The Poeic Imageના પહેલા પ્રકરણનો મુક્ત સંક્ષિપ્ત અનુવાદ.</ref>|  }}


{{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}}
{{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 13: Line 12:
{{Block center|<poem>'''કાવ્યમાં કલ્પનનું સ્થાન''' </poem>}}
{{Block center|<poem>'''કાવ્યમાં કલ્પનનું સ્થાન''' </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, રૂપક૨નું સ્થાન કવિતાના પ્રાણભૂત તત્ત્વ તરીકે, કવિનાં મૂલ્ય અને મહિમા દર્શાવનાર પ્રધાન તત્ત્વ તરીકે હમેશાં રહેવાનું.
કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, રૂપક<ref>‘મેટફર’ માટે ‘રૂપક’ પર્યાય વાપર્યો છે, પણ બન્નેનાં ક્ષેત્ર અમુક અંશે જુદાં પડે છે. ‘મેટફર’ આરોપણવાળો લક્ષણાવ્યાપાર છે; એમાં સાદૃશ્યસંબંધ અનિવાર્ય નથી. બીજી બાજુથી લક્ષણા ‘મેટફર’ કરતાં વધારે વ્યાપક વ્યાપાર છે; આરોપણ વિના પણ લક્ષણા હોઈ શકે છે.<br>{{gap}} ‘ઇમેજ’ અને ‘મેટફર’ને લુઇસ લગભગ પર્યાય રૂપે પ્રયોજે છે. માટે જ‘ઈમેજ’ચાલુ વાતમાં ‘મેટફર’ શબ્દનો પ્રયોગ અવારનવાર મળે છે.</ref>નું સ્થાન કવિતાના પ્રાણભૂત તત્ત્વ તરીકે, કવિનાં મૂલ્ય અને મહિમા દર્શાવનાર પ્રધાન તત્ત્વ તરીકે હમેશાં રહેવાનું.
હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો.
હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 56: Line 55:
કીટ્‌સે કહ્યું છે : “કલ્પનાને આદમના સ્વપ્ન સાથે સરખાવી શકાય – તે જાગ્યો અને જોયું કે તે સત્ય હતું.” તો વળી બ્લેઇક કહે છે : “માની શકાય તેવી પ્રત્યેક વસ્તુ સત્યનું એક કલ્પન હોય છે.” આ બન્ને પયગંબરી ઉદ્‌ગારો પરસ્પરપૂરક છે તેમજ આત્યંતિક પણ છે. કીટ્‌સે કાવ્યસર્જનના આખાય જટિલ વ્યાપારને એક જ કલ્પન દ્વારા સૂચવવાની યુક્તિ રચી છે. એ કહે છે : કલ્પના ગ્રહણશીલ છે, અભાનપણે કાર્ય કરે છે; એને ખબર પણ નથી હોતી કે એની સ્વપ્નાવસ્થામાં અને એના દ્રવ્યમાંથી સત્યનું સર્જન થઈ રહ્યું છે. પણ અત્યારે તે કલ્પનની વાચક પર પડતી અસર એ મારે મન મહત્ત્વનો મુદ્દો છે અને બ્લેઇકનું વિધાન મુખ્યત્વે વાચકને અનુલક્ષે છે. જો આપણે એના પર બરાબર વિચાર ચલાવીએ તો એ કવિતામાં પ્રતીતિ (belief)ના પ્રશ્નને હળવો કરવામાં સહાય કરે છે એમ મને લાગે છે; એ કોલરિજની “અપ્રતીતિને મોકૂફ રાખવા” (suspension of disbelief)ની વાતથી ઊંડે જાય છે, કેમકે એના કરતાં એ વધુ વિધાયક કથન છે. “માની શકાય એવું બધું જ” એટલે કે, કવિતા પોતાના ભાવાવેશના બળથી જેની પ્રતીતિ કરાવી શકે તે બધું જ “સત્યનું એક કલ્પન છે”, કારણકે સત્ય ભાવાવેશમાં રહેલું છે. કવિતામાં બૌદ્ધિક પ્રતીતિઓને થોડા સમય માટે મોકૂફ રાખવી જોઈએ, એટલા માટે કે તે સમય પૂરતી એક જુદા જ પ્રકારની, છતાં કોઈપણ રીતે ઓછી પ્રમાણભૂત નહીં એવી પ્રતીતિ આપણા ચિત્તનો કબજો લઈ શકે. કલાનિષ્ઠ અસંગતિમાંથી, વિષયવસ્તુ સાથેના કલ્પનના વિસંવાદમાંથી ઉદ્‌ભવતા હોય તે સિવાય કશાં વિરોધી નિરૂપણો કવિતામાં હોઈ શકે નહીં. કવિને માટે “જે કંઈ સત્ય છે તેનું વિપરીત પણ સત્ય છે.” એ ચંદાને વફાદાર માશૂક કહી શકે અને કુલટા નારી પણ કહી શકે.
કીટ્‌સે કહ્યું છે : “કલ્પનાને આદમના સ્વપ્ન સાથે સરખાવી શકાય – તે જાગ્યો અને જોયું કે તે સત્ય હતું.” તો વળી બ્લેઇક કહે છે : “માની શકાય તેવી પ્રત્યેક વસ્તુ સત્યનું એક કલ્પન હોય છે.” આ બન્ને પયગંબરી ઉદ્‌ગારો પરસ્પરપૂરક છે તેમજ આત્યંતિક પણ છે. કીટ્‌સે કાવ્યસર્જનના આખાય જટિલ વ્યાપારને એક જ કલ્પન દ્વારા સૂચવવાની યુક્તિ રચી છે. એ કહે છે : કલ્પના ગ્રહણશીલ છે, અભાનપણે કાર્ય કરે છે; એને ખબર પણ નથી હોતી કે એની સ્વપ્નાવસ્થામાં અને એના દ્રવ્યમાંથી સત્યનું સર્જન થઈ રહ્યું છે. પણ અત્યારે તે કલ્પનની વાચક પર પડતી અસર એ મારે મન મહત્ત્વનો મુદ્દો છે અને બ્લેઇકનું વિધાન મુખ્યત્વે વાચકને અનુલક્ષે છે. જો આપણે એના પર બરાબર વિચાર ચલાવીએ તો એ કવિતામાં પ્રતીતિ (belief)ના પ્રશ્નને હળવો કરવામાં સહાય કરે છે એમ મને લાગે છે; એ કોલરિજની “અપ્રતીતિને મોકૂફ રાખવા” (suspension of disbelief)ની વાતથી ઊંડે જાય છે, કેમકે એના કરતાં એ વધુ વિધાયક કથન છે. “માની શકાય એવું બધું જ” એટલે કે, કવિતા પોતાના ભાવાવેશના બળથી જેની પ્રતીતિ કરાવી શકે તે બધું જ “સત્યનું એક કલ્પન છે”, કારણકે સત્ય ભાવાવેશમાં રહેલું છે. કવિતામાં બૌદ્ધિક પ્રતીતિઓને થોડા સમય માટે મોકૂફ રાખવી જોઈએ, એટલા માટે કે તે સમય પૂરતી એક જુદા જ પ્રકારની, છતાં કોઈપણ રીતે ઓછી પ્રમાણભૂત નહીં એવી પ્રતીતિ આપણા ચિત્તનો કબજો લઈ શકે. કલાનિષ્ઠ અસંગતિમાંથી, વિષયવસ્તુ સાથેના કલ્પનના વિસંવાદમાંથી ઉદ્‌ભવતા હોય તે સિવાય કશાં વિરોધી નિરૂપણો કવિતામાં હોઈ શકે નહીં. કવિને માટે “જે કંઈ સત્ય છે તેનું વિપરીત પણ સત્ય છે.” એ ચંદાને વફાદાર માશૂક કહી શકે અને કુલટા નારી પણ કહી શકે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''કલ્પન દ્વારા વિશ્વરચનાના અનંત વિસ્તારની ઝાંખી ''' </poem>}}
{{Block center|<poem>'''કલ્પન દ્વારા વિશ્વરચનાના અનંત વિસ્તારની ઝાંખી ''' </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 61:
“વિષયબોધનાં દ્વારો જો સાફ કરવામાં આવેલાં હોય તો માણસને બધું જ જેવું છે તેવું – એના શાશ્વત અનન્ત રૂપમાં દેખાય” એવું બ્લેઇકે કહેલું. યેઇટ્‌સના શબ્દો પણ એનો પડઘો પાડે છે : “માણસ બારીના કાચ પરનો પોતાનો ઉચ્છ્‌વાસનો ભેજ લૂછે છે અને જે વૈવિધ્યપૂર્ણ દૃશ્ય દેખાય છે તેનાથી આનંદિત થાય છે.” સૌંદર્યના નાનામાં નાના અંશમાં પણ સમગ્ર જગતની સંપૂર્ણ સહજોપલબ્ધિ (intuition) થાય છે એમ કદાચ ન સ્વીકારીએ તોપણ એમાં સમગ્ર જગતની ‘આંશિક’ સહજોપલિબ્ધ થાય છે એમ તો જરૂર માની શકાય. આ વાત બધા પ્રકારની કવિતાનાં કલ્પનો માટે સાચી છે – એ અર્થમાં કે દરેક કલ્પન માત્ર કોઈ પદાર્થનું પુનઃસર્જન નથી કરતું પણ કોઈક અનુભવના સંદર્ભમાં એનું પુનઃસર્જન કરે છે. એટલે કે એક સંબંધવ્યવસ્થાના ભાગ રૂપે પદાર્થનું પુનઃસર્જન કરે છે. સંબંધવ્યવસ્થા રૂપકનું તો સ્વરૂપગત તત્ત્વ છે અને તેથી જો આપણે એમ માનતા હોઈએ કે આ વિશ્વ એવી રચના છે જેમાં બધા માણસો અને બધી વસ્તુઓ એકબીજાના ઘટકરૂપ છે તો રૂપક સમગ્ર જગતની આંશિક સહજોપલબ્ધિ આપે છે એમ સ્વીકારવું જોઈએ. દરેક કાવ્યાત્મક કલ્પન, મારો એવો દૃઢ મત છે કે, આ વિશ્વરચનાના એક નાનકડા અંશને વિશદ રીતે પ્રગટ કરીને એના વિસ્તારની ઝાંખી કરાવે છે.
“વિષયબોધનાં દ્વારો જો સાફ કરવામાં આવેલાં હોય તો માણસને બધું જ જેવું છે તેવું – એના શાશ્વત અનન્ત રૂપમાં દેખાય” એવું બ્લેઇકે કહેલું. યેઇટ્‌સના શબ્દો પણ એનો પડઘો પાડે છે : “માણસ બારીના કાચ પરનો પોતાનો ઉચ્છ્‌વાસનો ભેજ લૂછે છે અને જે વૈવિધ્યપૂર્ણ દૃશ્ય દેખાય છે તેનાથી આનંદિત થાય છે.” સૌંદર્યના નાનામાં નાના અંશમાં પણ સમગ્ર જગતની સંપૂર્ણ સહજોપલબ્ધિ (intuition) થાય છે એમ કદાચ ન સ્વીકારીએ તોપણ એમાં સમગ્ર જગતની ‘આંશિક’ સહજોપલિબ્ધ થાય છે એમ તો જરૂર માની શકાય. આ વાત બધા પ્રકારની કવિતાનાં કલ્પનો માટે સાચી છે – એ અર્થમાં કે દરેક કલ્પન માત્ર કોઈ પદાર્થનું પુનઃસર્જન નથી કરતું પણ કોઈક અનુભવના સંદર્ભમાં એનું પુનઃસર્જન કરે છે. એટલે કે એક સંબંધવ્યવસ્થાના ભાગ રૂપે પદાર્થનું પુનઃસર્જન કરે છે. સંબંધવ્યવસ્થા રૂપકનું તો સ્વરૂપગત તત્ત્વ છે અને તેથી જો આપણે એમ માનતા હોઈએ કે આ વિશ્વ એવી રચના છે જેમાં બધા માણસો અને બધી વસ્તુઓ એકબીજાના ઘટકરૂપ છે તો રૂપક સમગ્ર જગતની આંશિક સહજોપલબ્ધિ આપે છે એમ સ્વીકારવું જોઈએ. દરેક કાવ્યાત્મક કલ્પન, મારો એવો દૃઢ મત છે કે, આ વિશ્વરચનાના એક નાનકડા અંશને વિશદ રીતે પ્રગટ કરીને એના વિસ્તારની ઝાંખી કરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિવેચકની આદત</poem>}}
<center>
{|style="background-color: ; border: 2px solid #000000; width:80%; padding:10px"
|<center>વિવેચકની આદત</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચકની આદત હોય છે – કવિઓને જૂથમાં વહેંચી નાખવા અને સામસામે રમતમાં ઉતારવા. અને બિચારો વિવેચક! એણે એવી રમતસ્પર્ધામાં નિર્ણાયક બનવાનું, જેમાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સતત ભાઈચારાથી વર્તતા હોય છે, અંદરોઅંદર ગણવેશ બદલ્યા કરતા હોય છે, ઊલટી જ દિશામાં દોડ્યા કરતા હોય છે અને નિયમોને નેવે મૂકતા હોય છે. વિવેચકની આવી આદતના આપણે ભોગ ન બનવું જોઈએ અને કવિઓને કલૅસિકલ અને રોમૅન્ટિક જેવા વર્ગોમાં ચુસ્તપણે વહેંચી નાખવા ન જોઈએ.
વિવેચકની આદત હોય છે – કવિઓને જૂથમાં વહેંચી નાખવા અને સામસામે રમતમાં ઉતારવા. અને બિચારો વિવેચક! એણે એવી રમતસ્પર્ધામાં નિર્ણાયક બનવાનું, જેમાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓ સતત ભાઈચારાથી વર્તતા હોય છે, અંદરોઅંદર ગણવેશ બદલ્યા કરતા હોય છે, ઊલટી જ દિશામાં દોડ્યા કરતા હોય છે અને નિયમોને નેવે મૂકતા હોય છે. વિવેચકની આવી આદતના આપણે ભોગ ન બનવું જોઈએ અને કવિઓને કલૅસિકલ અને રોમૅન્ટિક જેવા વર્ગોમાં ચુસ્તપણે વહેંચી નાખવા ન જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
|}
</center>
{{Block center|<poem>'''કવિતા અને કાર્યપ્રેરણા ''' </poem>}}
{{Block center|<poem>'''કવિતા અને કાર્યપ્રેરણા ''' </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 96: Line 100:


'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
૧ C. Day Lewisના The Poeic Imageના પહેલા પ્રકરણનો મુક્ત સંક્ષિપ્ત અનુવાદ.
{{reflist}}
૨. ‘મેટફર’ માટે ‘રૂપક’ પર્યાય વાપર્યો છે, પણ બન્નેનાં ક્ષેત્ર અમુક અંશે જુદાં પડે છે. ‘મેટફર’ આરોપણવાળો લક્ષણાવ્યાપાર છે; એમાં સાદૃશ્યસંબંધ અનિવાર્ય નથી. બીજી બાજુથી લક્ષણા ‘મેટફર’ કરતાં વધારે વ્યાપક વ્યાપાર છે; આરોપણ વિના પણ લક્ષણા હોઈ શકે છે.
 
‘ઇમેજ’ અને ‘મેટફર’ને લુઇસ લગભગ પર્યાય રૂપે પ્રયોજે છે. માટે જ‘ઈમેજ’ચાલુ વાતમાં ‘મેટફર’ શબ્દનો પ્રયોગ અવારનવાર મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2