હયાતી/૩૧. શું થશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:


{{Right|૧૯૬૭}}</poem>}}
{{Right|૧૯૬૭}}</poem>}}
{{SetTitle}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૦. સાત શ્લોક
|previous = ૩૦. સાત શ્લોક
|next = ૩૨. અસર થઈ
|next = ૩૨. અસર થઈ
}}
}}
<br>

Latest revision as of 05:45, 13 April 2025


૩૧. શું થશે?

ભીતર ઉજાસ ઉજાસ છે, આંખોનું શું થશે?
ફોરમ તો વિસ્તરી ગઈ, ફૂલો ક્યાં ફૂટશે!

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર,
પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે!

આજે તળેટી પર આ નવી દોડધામ છે,
કોઈ શિખરના સ્થાન પરે ખળભળ્યું હશે!

એ શક્ય છે કે ફૂલ આ સાચાં ન હોય પણ,
અડકું, ને પાંખડી ખરી પડે તો શું થશે?

આગળ હવે ન કોઈનાં પગલાં કળાય છે,
પાછળ રહ્યા છે એને જવા દો તો એ જશે.

પાલખ ઉપર બધાંયે કબૂતર અબોલ છે,
ઘૂવડને જઈ કહો કે એ ગાશે તો ચાલશે.

દીવાનું લાલ તેજ છે આઘેની બારીએ,
દરવાજે અંધકાર શું ખોટી થયો હશે?

૧૯૬૭