રચનાવલી/૯૫: Difference between revisions

+ Audio
(Created page with "{{SetTitle}} {{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) |}} {{Poem2Open}} આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં...")
 
(+ Audio)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
{{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી)  |}}
{{Heading|૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી)  |}}


 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3e/Rachanavali_95.mp3
}}
<br>
૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી) ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં જો મૂલ્યોની ખેવના કરવી ન છોડી દે તો ચારેબાજુનું અમાનુષી આક્રમણ એને કાં તો ગળી જાય અને કાં તો ભયભીત કરી દે. ડર અને ભયનો આતંક આધુનિક જીવનનું જાણે કે એક અવિભાજ્ય અંગ છે. ભ્રષ્ટાચાર, હિંસા અને રુશ્વતખોરીને અંકે કરવાને બદલે જો એની સામે થયા અથવા એની સામે થવાનું બળ ગુમાવ્યું તો તમે ક્યાંય-ના ન રહી શકો. અંદરના તણાવો અને બહારના દબાવોથી માણસ ભયંકર રીતે અધમૂઓ બની ગયો છે. આવા આધુનિક સમાજના પ્રતિનિધિ રૂપ પાત્રને કેન્દ્રમાં મૂકીને તેલુગુ ભાષાના સાહિત્યકાર રાયકોડ઼ા વિશ્વનાથ શાસ્ત્રીએ ‘અલ્પજીવી' નામની એક તદ્દન અનોખી નવલકથા લખી છે. વર્તમાનજીવનને ભૂમિકા બનાવી પાત્રની અંદરબહારની પ્રવૃત્તિઓને નવલકથાકારે નજીકથી બતાવી છે. અને એનાં વર્ણનો જોતાં લાગે છે કે કદાચ જર્મન નવલકથાકાર કાફકા કે ફ્રેન્ચ નવલકથાકાર કામૂનો આ લેખકને પરિચય હોવો જોઈએ. આમ તો આ નવલકથાકાર વકીલ છે પણ સાથે સાથે સફળ નાટકકાર અને અભિનેતા પણ છે. એમણે છએક નવલકથાઓ લખી છે અને ત્રણચાર વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે. લેખક રાયકોણ્ડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે.  
આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં જો મૂલ્યોની ખેવના કરવી ન છોડી દે તો ચારેબાજુનું અમાનુષી આક્રમણ એને કાં તો ગળી જાય અને કાં તો ભયભીત કરી દે. ડર અને ભયનો આતંક આધુનિક જીવનનું જાણે કે એક અવિભાજ્ય અંગ છે. ભ્રષ્ટાચાર, હિંસા અને રુશ્વતખોરીને અંકે કરવાને બદલે જો એની સામે થયા અથવા એની સામે થવાનું બળ ગુમાવ્યું તો તમે ક્યાંય-ના ન રહી શકો. અંદરના તણાવો અને બહારના દબાવોથી માણસ ભયંકર રીતે અધમૂઓ બની ગયો છે. આવા આધુનિક સમાજના પ્રતિનિધિ રૂપ પાત્રને કેન્દ્રમાં મૂકીને તેલુગુ ભાષાના સાહિત્યકાર રાયકોડ઼ા વિશ્વનાથ શાસ્ત્રીએ ‘અલ્પજીવી' નામની એક તદ્દન અનોખી નવલકથા લખી છે. વર્તમાનજીવનને ભૂમિકા બનાવી પાત્રની અંદરબહારની પ્રવૃત્તિઓને નવલકથાકારે નજીકથી બતાવી છે. અને એનાં વર્ણનો જોતાં લાગે છે કે કદાચ જર્મન નવલકથાકાર કાફકા કે ફ્રેન્ચ નવલકથાકાર કામૂનો આ લેખકને પરિચય હોવો જોઈએ. આમ તો આ નવલકથાકાર વકીલ છે પણ સાથે સાથે સફળ નાટકકાર અને અભિનેતા પણ છે. એમણે છએક નવલકથાઓ લખી છે અને ત્રણચાર વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે. લેખક રાયકોણ્ડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે.  
Line 11: Line 23:
ગવરય્યાના માણસો સુબ્બય્યાને ઉઠાવી જઈ ખાસ્સો મેથીપાક આપે છે. આમ છતાં બધા જ સુબ્બય્યાને ‘તને બચાવી લઈશું' એવો સધિયારો આપે છે. મનોરમા પણ ગુવરમ્યા પોતાના ગામનો છે કહી સુબ્બય્યાના ડરને દૂર કરવા પ્રયત્ન કરે છે પણ એથી એનો ડર કાવતરાની ગંધથી ઓર વધે છે. છેવટે મનોરમાના કહેવાથી સુબ્બય્યાને મારી મારીને એની પાસેથી લખાવી લીધેલું લખાણ ગુવરય્યા પરત કરે છે. પણ સુબ્બય્યાને લાગે છે કે બધાએ મળીને મારી સમસ્યા તો દૂર કરી છે પણ મનોરમા શંકાસ્પદ છે. એ વિચારે છે કે મારા જેવા અજાણ્યાના હાથમાં મનોરમા જો વેચાઈ ગઈ તો ખબર નથી કે કેટકેટલા માણસોના હાથમાં એ વેચાતી આવી હશે?  
ગવરય્યાના માણસો સુબ્બય્યાને ઉઠાવી જઈ ખાસ્સો મેથીપાક આપે છે. આમ છતાં બધા જ સુબ્બય્યાને ‘તને બચાવી લઈશું' એવો સધિયારો આપે છે. મનોરમા પણ ગુવરમ્યા પોતાના ગામનો છે કહી સુબ્બય્યાના ડરને દૂર કરવા પ્રયત્ન કરે છે પણ એથી એનો ડર કાવતરાની ગંધથી ઓર વધે છે. છેવટે મનોરમાના કહેવાથી સુબ્બય્યાને મારી મારીને એની પાસેથી લખાવી લીધેલું લખાણ ગુવરય્યા પરત કરે છે. પણ સુબ્બય્યાને લાગે છે કે બધાએ મળીને મારી સમસ્યા તો દૂર કરી છે પણ મનોરમા શંકાસ્પદ છે. એ વિચારે છે કે મારા જેવા અજાણ્યાના હાથમાં મનોરમા જો વેચાઈ ગઈ તો ખબર નથી કે કેટકેટલા માણસોના હાથમાં એ વેચાતી આવી હશે?  
શંકા અને વિચારોથી ડરનું માર્યું પોતાનું માથું ફાટી જતું હોય એવું સુબ્બય્યાને લાગે છે. અને થાય છે કે મનને કેવી રીતે મુક્ત કરવું? શાંતિ વગર મનને આરામ ક્યાંથી? તો પછી મૃત્યુ જ ઠીક છે. પણ બહુ વિચાર્યા પછી સુબ્બય્યાને જાણે કે મૂળમંત્ર મળ્યો હોય એવો આનંદ થાય છે. આ મૂળ મંત્ર છે : ‘સેફ, સેફર, સેફેસ્ટ’ સહીસલામતી માટે વિનમ્રી બની રહો, પડછાયો જોઈને પણ બીઓ અને અધિકારની સામે ઝૂકી જાઓ..... પણ ફરીને સુબ્બય્યાનું મન ચકરાવે ચઢે છે.  
શંકા અને વિચારોથી ડરનું માર્યું પોતાનું માથું ફાટી જતું હોય એવું સુબ્બય્યાને લાગે છે. અને થાય છે કે મનને કેવી રીતે મુક્ત કરવું? શાંતિ વગર મનને આરામ ક્યાંથી? તો પછી મૃત્યુ જ ઠીક છે. પણ બહુ વિચાર્યા પછી સુબ્બય્યાને જાણે કે મૂળમંત્ર મળ્યો હોય એવો આનંદ થાય છે. આ મૂળ મંત્ર છે : ‘સેફ, સેફર, સેફેસ્ટ’ સહીસલામતી માટે વિનમ્રી બની રહો, પડછાયો જોઈને પણ બીઓ અને અધિકારની સામે ઝૂકી જાઓ..... પણ ફરીને સુબ્બય્યાનું મન ચકરાવે ચઢે છે.  
લેખક અંતે કહે છે : સમુદ્રમાં મોજાં ઊછળી રહ્યા હતાં. સમુદ્ર ઊછળી રહ્યો હતો. સમુદ્ર ઊછળ્યા વગર કયારે રહ્યો છે?’ આ વર્ણન આગળ જાણે કે સુબ્બય્યાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે.  
લેખક અંતે કહે છે : ‘સમુદ્રમાં મોજાં ઊછળી રહ્યા હતાં. સમુદ્ર ઊછળી રહ્યો હતો. સમુદ્ર ઊછળ્યા વગર કયારે રહ્યો છે?’ આ વર્ણન આગળ જાણે કે સુબ્બય્યાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે.  
જીવનમાં બધાં જ સાહસો કરી શકે એવા સર્વજીવી નાયકની કથાપરંપરામાં કલ્પના કરવામાં આવી છે, એની સામે સહેજ સાહસ કરતાં ડરનો માર્યો મરી જતો હોય એવા નાયકની કલ્પના કેન્દ્રમાં મૂકી લેખકે આધુનિક જીવન વચ્ચે જીવન જીવતાં અલ્પજીવી સામાન્ય માણસની અંદરની બાજુઓ ખુલ્લી કરી છે.
જીવનમાં બધાં જ સાહસો કરી શકે એવા સર્વજીવી નાયકની કથાપરંપરામાં કલ્પના કરવામાં આવી છે, એની સામે સહેજ સાહસ કરતાં ડરનો માર્યો મરી જતો હોય એવા નાયકની કલ્પના કેન્દ્રમાં મૂકી લેખકે આધુનિક જીવન વચ્ચે જીવન જીવતાં અલ્પજીવી સામાન્ય માણસની અંદરની બાજુઓ ખુલ્લી કરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 17: Line 29:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૯૪
|next =  
|next = ૯૬
}}
}}