બાળ કાવ્ય સંપદા/ભારત નિશાન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
ભારત માના મંદિર પર એ, | ભારત માના મંદિર પર એ, | ||
શાંતિનું એંધાણ {{right|– ભૂમિ૦}} | શાંતિનું એંધાણ {{right|– ભૂમિ૦}} | ||
ચક્ર સુદર્શન અંકિત એ તો{{gap | ચક્ર સુદર્શન અંકિત એ તો{{gap}} | ||
હિન્દી જનના પ્રાણ {{right|– ભૂમિ૦}} | હિન્દી જનના પ્રાણ {{right|– ભૂમિ૦}} | ||
સફેદ લીલું લાલ ત્રિરંગી | સફેદ લીલું લાલ ત્રિરંગી | ||
Revision as of 15:36, 11 February 2025
ભારત નિશાન
લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)
નહિ નમશે નહિ નમશે નિશાન
ભૂમિ ભારતનું.
ભારતની એ ધર્મધ્વજાનું
સાચવશું સન્માન – ભૂમિ૦
ઐક્યતણો એ અમરપટો છે
મુક્તિનું વરદાન – ભૂમિ૦
ભારત માના મંદિર પર એ,
શાંતિનું એંધાણ – ભૂમિ૦
ચક્ર સુદર્શન અંકિત એ તો
હિન્દી જનના પ્રાણ – ભૂમિ૦
સફેદ લીલું લાલ ત્રિરંગી
વિરોધનું સંધાણ – ભૂમિ૦
સફેદમાં સહુ ધર્મે ધાર્યું
ઈશ્વરનું ફરમાન – ભૂમિ૦
લીલામાં ઇસ્લામી ધર્મે
રાખ્યું પાક કુરાન – ભૂમિ૦
લાલ સનાતન આર્ય પ્રજાનું
મંગળ મૂર્તિમાન – ભૂમિ૦
અચળ અમારે આંગણ એ તો
સ્વરાજ્યનું મંડાણ – ભૂમિ૦
સાચા હિન્દી શૂરાઓનું
એ છે વિજયસુકાન – ભૂમિ૦
નિર્ભયતાની નોબત છે એ
પ્રેમ તણું શુભગાન – ભૂમિ૦
જગ ઉદ્ધારક ઝળકે એમાં
ગાંધીજીનું જ્ઞાન – ભૂમિ૦
એની ટેક નિભાવા કાજે
તન મન ધન કુરબાન – ભૂમિ૦