કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઉરદોલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો | પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો | ||
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ. | ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ. | ||
યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે, | યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે, | ||
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી | ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી | ||
Latest revision as of 07:33, 2 February 2025
૨૯. ઉરદોલ
જાણ્યા ન મુગ્ધ ઉરભાવ, ન પંથ પૂછ્યો,
યાત્રી અમે રખડતા વનમાં, જનોમાં;
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ.
યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી
બાળ્યો બધો ધૂપ અમે સુખદુઃખનો ત્યાં;
યાત્રી હવે જગતમાં ધુમરેખ જેવાં.
(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૨૦)