કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઉરદોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો  
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો  
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ.
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ.
યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી

Latest revision as of 07:33, 2 February 2025

૨૯. ઉરદોલ

જાણ્યા ન મુગ્ધ ઉરભાવ, ન પંથ પૂછ્યો,
યાત્રી અમે રખડતા વનમાં, જનોમાં;
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ.

યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી
બાળ્યો બધો ધૂપ અમે સુખદુઃખનો ત્યાં;
યાત્રી હવે જગતમાં ધુમરેખ જેવાં.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૨૦)