મંગલમ્/નૈયા ઝુકાવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:00, 27 January 2025

નૈયા ઝુકાવી

નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…ઝાંખો…
પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…ઝાંખો…
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
મનના મંદિરિયામાં અંધારું થાય ના…ઝાંખો…