અર્વાચીન કવિતા/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}<br>
<center><big>'''પ્રસ્તાવના'''</big></center>
<center><big>'''પ્રસ્તાવના'''</big><br>
<center>(પહેલી આવૃત્તિની)</center>
(પહેલી આવૃત્તિની)</center>
{{Poem2Open}}
''“અવલોકનકાર અને અવલોકન થનાર એ બે જણના પ્રયાસની ભૂમિ એક જ હોય તો અવલોકનના હેતુ વગેરે વિશે ગેરસમજ થવાનો ભય વધારે રહે છે; પછી ગમે એટલાં સત્ય ધોરણોથી અવલોકન થાય. માટે હેવે પ્રસંગે-કર્તવ્યની લાગણી સબળ હોય નહિં તો – અવલોકનનું કાર્ય આદરવું નહિં એ સલામતીભરેલું છે. પરંતુ કર્તવ્યની આજ્ઞા થઈ એમ લાગ્યું તો પછી ખોટા ભયથી વૃથા દાક્ષિણ્યની સેવા કરી સાચાં ધોરણોને ઘસારો પ્હોંચાડવો એ પણ એક જાત્યની ભીરુતા જ છે.”''
{{Poem2Close}}
{{સ-મ|''(મનોમુકુર ગ્રંથ ૩, પૃ. ર૩)''||'''''નરસિંહરાવ ભોળાનાથ'''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
“અવલોકનકાર અને અવલોકન થનાર એ બે જણના પ્રયાસની ભૂમિ એક જ હોય તો અવલોકનના હેતુ વગેરે વિશે ગેરસમજ થવાનો ભય વધારે રહે છે; પછી ગમે એટલાં સત્ય ધોરણોથી અવલોકન થાય. માટે હેવે પ્રસંગે-કર્તવ્યની લાગણી સબળ હોય નહિં તો – અવલોકનનું કાર્ય આદરવું નહિં એ સલામતીભરેલું છે. પરંતુ કર્તવ્યની આજ્ઞા થઈ એમ લાગ્યું તો પછી ખોટા ભયથી વૃથા દાક્ષિણ્યની સેવા કરી સાચાં ધોરણોને ઘસારો પ્હોંચાડવો એ પણ એક જાત્યની ભીરુતા જ છે.”
(મનોમુકુર ગ્રંથ ૩, પૃ. ર૩) નરસિંહરાવ ભોળાનાથ
આજથી આઠેક વરસ ઉપર મને લખવા માટે સોંપાયેલો આ વિષય આજે એક આકાર પામીને પુસ્તક રૂપે બહાર પડે છે. આ વિષય મને સોંપીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ મને ખરેખર ઋણી કર્યો છે. આ વિષય લખવાનું હાથ લેતાં અર્વાચીન કવિતાના લગભગ સર્વાંગ પરિચયમાં આવવાનો, અને તેનું ઝીણવટથી પરિશીલન કરવાનો મૂલ્યવાન પ્રસંગ મારે માટે ઉપસ્થિત થયો. અને એ બીજી કોઈ રીતે બનવું મુશ્કેલ હતું.
આજથી આઠેક વરસ ઉપર મને લખવા માટે સોંપાયેલો આ વિષય આજે એક આકાર પામીને પુસ્તક રૂપે બહાર પડે છે. આ વિષય મને સોંપીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ મને ખરેખર ઋણી કર્યો છે. આ વિષય લખવાનું હાથ લેતાં અર્વાચીન કવિતાના લગભગ સર્વાંગ પરિચયમાં આવવાનો, અને તેનું ઝીણવટથી પરિશીલન કરવાનો મૂલ્યવાન પ્રસંગ મારે માટે ઉપસ્થિત થયો. અને એ બીજી કોઈ રીતે બનવું મુશ્કેલ હતું.
અર્વાચીન ગુજરાતી કવિતા વિષે હું લગભગ બધું જાણતો હતો તેવો મારો ખ્યાલ એ વિષયે વાંચવાનું શરૂ કરતાં તરત જ ખોટો નીવડ્યો. મેં જોયું કે પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિ જેવો હોય છે. પરિણામે આ કામ મેં ધારી લીધેલું તેના કરતાં ઘણું મોટું નીકળ્યું. ગ્રંથસ્થ થયેલી બધી જ અર્વાચીન કવિતા વાંચવાનો સંકલ્પ કરતાં નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી કૃતિઓ મેં વાંચી.*  
અર્વાચીન ગુજરાતી કવિતા વિષે હું લગભગ બધું જાણતો હતો તેવો મારો ખ્યાલ એ વિષયે વાંચવાનું શરૂ કરતાં તરત જ ખોટો નીવડ્યો. મેં જોયું કે પોતાને ગુજરાતી કવિતાનો અભ્યાસી ગણતો માણસ મોટે ભાગે આપણા મોટા મોટા કવિઓના ધોરી રસ્તા પર જ ચાલે છે. એ રસ્તાની સાથે આવી મળતા અનેક નાનામોટા રસ્તા અને ગલીકૂંચીઓનો અને તેમાંની રસસંપત્તિનો ખ્યાલ તેને નહિ જેવો હોય છે. પરિણામે આ કામ મેં ધારી લીધેલું તેના કરતાં ઘણું મોટું નીકળ્યું. ગ્રંથસ્થ થયેલી બધી જ અર્વાચીન કવિતા વાંચવાનો સંકલ્પ કરતાં નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી કૃતિઓ મેં વાંચી.*  
Line 15: Line 16:
આનંદ સૌંદર્ય અને રસનું નિર્માણ-સર્જન એ કવિતાનું સ્વકર્મ સ્વધર્મ છે. આખા જીવનમાં આ તત્ત્વો વત્તાઓછા અંશે સ્ફુટઅસ્ફુટ છે, તેનો આછો-પાતળો શુદ્ધઅશુદ્ધ અનુભવ દરેકને થાય છે, પરંતુ તે તત્ત્વોને એક ઉચ્ચ પ્રકર્ષમાં અનુભવગમ્ય કરવાનું કાર્ય કળા કરે છે. એ કરવા-કરાવવાની શક્તિ બીજામાં ઓછી છે. એ કાર્ય સાધવાની પદ્ધતિ-પ્રકિયા એ કળાની પોતાની આગવી ખૂબી, વિશિષ્ટતા છે. કવિતા માનવવ્યવહારની પ્રાકૃત વાણીનો આશ્રય લે છે, છતાં તેને એવી અપ્રાકૃત રીતે પ્રયોજે છે કે તેમાંથી એક અનન્ય-અસાધારણ રસપ્રકર્ષ અનુભવાય છે. જમીનનો રસ શેરડીના મૂળમાં થઈને ઉપર ચડતોચડતો જે રીતે એક આહ્‌લાદદાયક આસ્વાદનીય સ્વરૂપ પામે છે, તેવી જ રીતે કવિતામાં પ્રાકૃત વાણીનું બને છે. કવિતા માનવવાણીમાં રહેલાં બીજરૂપ તત્ત્વો – લય, છંદ, અર્થ-સંકેત આદિને ખૂબ વિકસાવે છે, અને તે એટલે સુધી કે વાણી એક નવો જન્મ પામે છે. એ નવીન અને અધિક સમૃદ્ધ ઉપાદાન દ્વારા દૃષ્ટ-અદૃષ્ટ સૃષ્ટ-અસૃષ્ટ જગતમાંથી કવિતા સૌંદર્ય અને આનંદને સાકાર કરે છે. કવિતામાં આ તત્ત્વ ઉત્તમ રૂપે સિદ્ધ થતાં તે તેની ત્રિવિધ સામગ્રી : છંદોલય, શબ્દ-વિચાર-શૈલી અને આંતરિક તત્ત્વ-દ્યુતિના એકસરખા ઉત્કટ રૂપના ત્રિવિધ પ્રકર્ષ રૂપે દૃષ્ટિગોચર થાય છે.* <ref>* આપણા ‘રસ’ તત્ત્વની આમ ત્રિવિધ પ્રકર્ષ રૂપે વ્યાખ્યા શ્રી અરવિંદે આપી છે. કાવ્યનું ઉત્તમમાં ઉત્તમ આરોહણ ‘મંત્રત્વ’ની કોટિએ પહોંચવામાં છે એ સમજાવતાં તેઓ લખે છે : “The mantra, poetic expression of the deepest spiritual reality, is only possible when three highest intensities of poetic speech meet and become indissolubly one, a highest intensity of rhythmic movement, a highest intensity of verbal form and thought-substance, of style and a highest intensity of the soul’s vision of truth. All great poetry comes about by a unison of these three elements; it is the insufficiency of one or another which makes the inequalities in the work of even the greatest poets...”<br>{{right|'''(Future Poetry)}}</ref>
આનંદ સૌંદર્ય અને રસનું નિર્માણ-સર્જન એ કવિતાનું સ્વકર્મ સ્વધર્મ છે. આખા જીવનમાં આ તત્ત્વો વત્તાઓછા અંશે સ્ફુટઅસ્ફુટ છે, તેનો આછો-પાતળો શુદ્ધઅશુદ્ધ અનુભવ દરેકને થાય છે, પરંતુ તે તત્ત્વોને એક ઉચ્ચ પ્રકર્ષમાં અનુભવગમ્ય કરવાનું કાર્ય કળા કરે છે. એ કરવા-કરાવવાની શક્તિ બીજામાં ઓછી છે. એ કાર્ય સાધવાની પદ્ધતિ-પ્રકિયા એ કળાની પોતાની આગવી ખૂબી, વિશિષ્ટતા છે. કવિતા માનવવ્યવહારની પ્રાકૃત વાણીનો આશ્રય લે છે, છતાં તેને એવી અપ્રાકૃત રીતે પ્રયોજે છે કે તેમાંથી એક અનન્ય-અસાધારણ રસપ્રકર્ષ અનુભવાય છે. જમીનનો રસ શેરડીના મૂળમાં થઈને ઉપર ચડતોચડતો જે રીતે એક આહ્‌લાદદાયક આસ્વાદનીય સ્વરૂપ પામે છે, તેવી જ રીતે કવિતામાં પ્રાકૃત વાણીનું બને છે. કવિતા માનવવાણીમાં રહેલાં બીજરૂપ તત્ત્વો – લય, છંદ, અર્થ-સંકેત આદિને ખૂબ વિકસાવે છે, અને તે એટલે સુધી કે વાણી એક નવો જન્મ પામે છે. એ નવીન અને અધિક સમૃદ્ધ ઉપાદાન દ્વારા દૃષ્ટ-અદૃષ્ટ સૃષ્ટ-અસૃષ્ટ જગતમાંથી કવિતા સૌંદર્ય અને આનંદને સાકાર કરે છે. કવિતામાં આ તત્ત્વ ઉત્તમ રૂપે સિદ્ધ થતાં તે તેની ત્રિવિધ સામગ્રી : છંદોલય, શબ્દ-વિચાર-શૈલી અને આંતરિક તત્ત્વ-દ્યુતિના એકસરખા ઉત્કટ રૂપના ત્રિવિધ પ્રકર્ષ રૂપે દૃષ્ટિગોચર થાય છે.* <ref>* આપણા ‘રસ’ તત્ત્વની આમ ત્રિવિધ પ્રકર્ષ રૂપે વ્યાખ્યા શ્રી અરવિંદે આપી છે. કાવ્યનું ઉત્તમમાં ઉત્તમ આરોહણ ‘મંત્રત્વ’ની કોટિએ પહોંચવામાં છે એ સમજાવતાં તેઓ લખે છે : “The mantra, poetic expression of the deepest spiritual reality, is only possible when three highest intensities of poetic speech meet and become indissolubly one, a highest intensity of rhythmic movement, a highest intensity of verbal form and thought-substance, of style and a highest intensity of the soul’s vision of truth. All great poetry comes about by a unison of these three elements; it is the insufficiency of one or another which makes the inequalities in the work of even the greatest poets...”<br>{{right|'''(Future Poetry)}}</ref>


કવિ, વિવેચક અને વાચકનો પ્રશ્ન એ રહે છે કે હરકોઈ કૃતિમાં આ ત્રણ પ્રકર્ષો પૂર્ણ સામંજસ્ય રૂપે કેવા અને કેટલા પ્રમાણમાં સધાયા છે. આનંદ, સૌંદર્ય અને રસ છેવટે તો સ્વસંવેદ્ય પદાર્થો છે. કૃતિમાં પોતામાં એ પૂર્ણ રૂપે સિદ્ધ થયેલા હોય તો જેની સંવેદનશક્તિ પરિપક્વ થયેલી હોય છે તેને તે અનુભવગોચર થાય જ. વાચકનો કે વિવેચકનો પોતાનો પ્રશ્ન એ છે કે તેની સંવેદનશક્તિ, સૌંદર્યદૃષ્ટિ કેટલી વિકસેલી છે. આચાર્યશ્રી આનંદશંકરે રસાનુભવની અનેક સાપેક્ષ કોટિઓનો સ્ફોટ કરવા સાથે સાથે એ વસ્તુ પ્રત્યે પણ દૃષ્ટાન્તાન્તરે ધ્યાન ખેંચ્યું છે કે દલપતરામ અને કાલિદાસની રસસૃષ્ટિ એકસરખી ન હોઈ શકે અને કાલિદાસના રસપ્રકર્ષને જ આપણે આરાધ્ય ગણી શકીએ.*<ref>* એક ત્રીજો સિદ્ધાંત જે સાહિત્યનાં પ્રેમીજનો ધ્યાનમાં રાખે તો સારુંં એમ હું ઇચ્છું છું; તે રસની સાપેક્ષતા(relativity)નો છે... ઉદારતાથી ઘણાં કાવ્યોમાં જુદે જુદે સમયે સ્થળે અને પ્રસંગે આપણે રસ લઈ શકીએ... જે જનો રસશાસ્ત્રના વિષયમાં સાંકડા અને જડ વિચારો બાંધી બેસે છે તે સાહિત્યના ઉપયોગની ઘણી સમૃદ્ધિ ખુવે છે... ન્હાનીમ્હોટી ઘણી કૃતિઓ ભોક્તાને સમયવિશેષે પ્રસંગવિશેષે અને મનની અમુક સ્થિતિમાં આનંદ આપી શકે છે...<br>{{gap}}વળી એ પણ સત્ય છે કે કાવ્યમાં ‘શુદ્ધ સરળ વાક્યરચના તથા અક્લિષ્ટતાની જરૂર છે.’ પણ તેટલા પરથી શેક્સપિયરને બાજુ પર મૂકી ગોલ્ડસ્મિથને પૂજવાનું કોઈએ ઉચિત ધાર્યું નથી.   {{right|(કાવ્યતત્ત્વવિચાર)}}</ref>  
કવિ, વિવેચક અને વાચકનો પ્રશ્ન એ રહે છે કે હરકોઈ કૃતિમાં આ ત્રણ પ્રકર્ષો પૂર્ણ સામંજસ્ય રૂપે કેવા અને કેટલા પ્રમાણમાં સધાયા છે. આનંદ, સૌંદર્ય અને રસ છેવટે તો સ્વસંવેદ્ય પદાર્થો છે. કૃતિમાં પોતામાં એ પૂર્ણ રૂપે સિદ્ધ થયેલા હોય તો જેની સંવેદનશક્તિ પરિપક્વ થયેલી હોય છે તેને તે અનુભવગોચર થાય જ. વાચકનો કે વિવેચકનો પોતાનો પ્રશ્ન એ છે કે તેની સંવેદનશક્તિ, સૌંદર્યદૃષ્ટિ કેટલી વિકસેલી છે. આચાર્યશ્રી આનંદશંકરે રસાનુભવની અનેક સાપેક્ષ કોટિઓનો સ્ફોટ કરવા સાથે સાથે એ વસ્તુ પ્રત્યે પણ દૃષ્ટાન્તાન્તરે ધ્યાન ખેંચ્યું છે કે દલપતરામ અને કાલિદાસની રસસૃષ્ટિ એકસરખી ન હોઈ શકે અને કાલિદાસના રસપ્રકર્ષને જ આપણે આરાધ્ય ગણી શકીએ.*<ref>* એક ત્રીજો સિદ્ધાંત જે સાહિત્યનાં પ્રેમીજનો ધ્યાનમાં રાખે તો સારુંં એમ હું ઇચ્છું છું; તે રસની સાપેક્ષતા(relativity)નો છે... ઉદારતાથી ઘણાં કાવ્યોમાં જુદે જુદે સમયે સ્થળે અને પ્રસંગે આપણે રસ લઈ શકીએ... જે જનો રસશાસ્ત્રના વિષયમાં સાંકડા અને જડ વિચારો બાંધી બેસે છે તે સાહિત્યના ઉપયોગની ઘણી સમૃદ્ધિ ખુવે છે... ન્હાનીમ્હોટી ઘણી કૃતિઓ ભોક્તાને સમયવિશેષે પ્રસંગવિશેષે અને મનની અમુક સ્થિતિમાં આનંદ આપી શકે છે...<br>{{gap}}વળી એ પણ સત્ય છે કે કાવ્યમાં ‘શુદ્ધ સરળ વાક્યરચના તથા અક્લિષ્ટતાની જરૂર છે.’ પણ તેટલા પરથી શેક્સપિયરને બાજુ પર મૂકી ગોલ્ડસ્મિથને પૂજવાનું કોઈએ ઉચિત ધાર્યું નથી. <br>  {{right|(કાવ્યતત્ત્વવિચાર)}}<br></ref>  
આપણી અર્વાચીન કવિતાનું એક ઉત્તમ ભાગ્ય એ રહ્યું છે કે તેના ઊગમની સાથે સાથે જ વિવેચનનો જન્મ થયો અને તે કવિતાના વિકાસની સાથોસાથ વિકાસ પામતું ગયું. ઠેઠ આજ લગીની કવિતાનાં અને તેના પ્રત્યેક મહત્ત્વના કવિનાં તલસ્પર્શી અને સૂક્ષ્મગંભીર અવલોકનો આપણને મળતાં રહ્યાં છે. બેશક, આપણા કેટલાક સમર્થ વિવેચકો એકાદ વખત પણ પોતાના દર્શનમાં ચૂકી ગયા છે, છતાં આપણું વિવેચન કવિતાના તત્ત્વને અધિગત કર્યાનો દાવો કરી શકે તેમ છે. આપણા સમર્થ અને સમૃદ્ધ વિવેચકોને પગલે પગલે ચાલવાની સહૃદય અભિલાષા મેં આ પુસ્તકમાં સેવી છે.
આપણી અર્વાચીન કવિતાનું એક ઉત્તમ ભાગ્ય એ રહ્યું છે કે તેના ઊગમની સાથે સાથે જ વિવેચનનો જન્મ થયો અને તે કવિતાના વિકાસની સાથોસાથ વિકાસ પામતું ગયું. ઠેઠ આજ લગીની કવિતાનાં અને તેના પ્રત્યેક મહત્ત્વના કવિનાં તલસ્પર્શી અને સૂક્ષ્મગંભીર અવલોકનો આપણને મળતાં રહ્યાં છે. બેશક, આપણા કેટલાક સમર્થ વિવેચકો એકાદ વખત પણ પોતાના દર્શનમાં ચૂકી ગયા છે, છતાં આપણું વિવેચન કવિતાના તત્ત્વને અધિગત કર્યાનો દાવો કરી શકે તેમ છે. આપણા સમર્થ અને સમૃદ્ધ વિવેચકોને પગલે પગલે ચાલવાની સહૃદય અભિલાષા મેં આ પુસ્તકમાં સેવી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|૨૬ જૂન, ૧૯૪૬<br>અમદાવાદ||'''- સુન્દરમ્‌'''}}<br><br>
{{સ-મ|૨૬ જૂન, ૧૯૪૬<br>અમદાવાદ||'''- સુન્દરમ્‌'''}}<br>
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = પ્રારંભિક
|next = સર્જક-પરિચય
|next = સર્જક-પરિચય
}}
}}