એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 16:10, 18 October 2023


કૃતિ-પરિચય ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર (1969)

આ પુસ્તક મહાન ગ્રીક વિચારક ઍરિસ્ટોટલના ગ્રંથ Poeticsનો ખંતભર્યો અને પ્રાસાદિક અનુવાદ છે. ઍરિસ્ટોટલના ગુરુ પ્રખર ચિંતક પ્લેટોએ એમના ખ્યાત ગ્રંથ Republicના એક પ્રકરણમાં કવિતાકલાની બિનઉપયોગિતા આક્રમકતાથી બતાવેલી. એના પરોક્ષ ઉત્તર રૂપે ઍરિસ્ટોટલે આ Poetics માં કવિતાકલા ઉત્કૃષ્ટ કેમ છે એની શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. પોતાના શિષ્યો સામે કરેલાં આ વિષયક પ્રવચનોની જે નોંધ એરિસ્ટોટલે કરેલી એ નોંધો આ પુસ્તકનાં પ્રકરણોરૂપ છે. સાહિત્યતત્ત્વની આ ઘણી પ્રાચીન ચર્ચા દુનિયાભરમાં એક એક પાયાની વિચારણા ગણાઇ છે.

એટલે એનો આ અનુવાદ ગુજરાતી વિવેચનમાં મહત્ત્વનું પ્રદાન છે. મુખ્યત્વે વિવેચક બુચરના (મૂળ ગ્રીકમાંથી કરેલા) અંગ્રેજી અનુવાદને આધારે કરેલા આ સુંદર અનુવાદને અંતે લેખકે ખૂબ ઉપયોગી પર્યાયશબ્દ સૂચિ પણ મૂકી છે.

શાસ્ત્રીય હોવા છતાં અનુવાદનું પ્રાસાદિક ગદ્ય આ અનુવાદના વાચનને રસપ્રદ બનાવશે.

(પરિચય– રમણ સોની)