રચનાવલી/૨૦૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦૨. હાફીઝની ગઝલો |}} {{Poem2Open}} બેગમ અખ઼રથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
બેગમ અખ઼રથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમાં બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને ક્લાપીથી શરૂ થયેલી ગઝલે આજે ઠેર ઠેર સામયિકોમાં ધૂમ મચાવી છે. આજે તો કવિ એટલે જાણે ગઝલકાર એવો અર્થ લઈને ચાલવાનો વારો આવ્યો છે. જુદી જુદી કડીઓ (શેરો)માં બદલાતા પ્રાસ (કાફિયા) અને ટેક (રદીફ)થી જુદા જુદા ભાવોને રજૂ કરતી ગઝલ ઝટ ગળે ઊતરી જાય એવું સરલ કાઠું મોટેભાગે ધરાવે છે. અને સાંભળતાવેંત સાંભળનારને ખુશ કરી જાય એવી કરામતો એમાં રહેલી હોય છે.  
બેગમ અખ્તરથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમાં બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને ક્લાપીથી શરૂ થયેલી ગઝલે આજે ઠેર ઠેર સામયિકોમાં ધૂમ મચાવી છે. આજે તો કવિ એટલે જાણે ગઝલકાર એવો અર્થ લઈને ચાલવાનો વારો આવ્યો છે. જુદી જુદી કડીઓ (શેરો)માં બદલાતા પ્રાસ (કાફિયા) અને ટેક (રદીફ)થી જુદા જુદા ભાવોને રજૂ કરતી ગઝલ ઝટ ગળે ઊતરી જાય એવું સરલ કાઠું મોટેભાગે ધરાવે છે. અને સાંભળતાવેંત સાંભળનારને ખુશ કરી જાય એવી કરામતો એમાં રહેલી હોય છે.  
ભારતમાં ગઝલ આવી ફારસી સાહિત્યના પરિચયને કારણે અંગ્રેજોએ સ્થાપેલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી શીખવવાની શરૂઆત થતાં ગઝલમાં લોકોની દિલચશ્પી વધતી ગઈ. ફારસી સાહિત્ય એ ગઝલનું પિયર છે. એમાં ય ફારસી સાહિત્યના સુવર્ણકાળની જાહોજલાલી અને પૂર્વના સાહિત્યની પ્રશિષ્ટતાની ઝલક જો કોઈએ સૌથી વધુ દેખાડી હોય તો તે કવિ હાફિઝે.
ભારતમાં ગઝલ આવી ફારસી સાહિત્યના પરિચયને કારણે અંગ્રેજોએ સ્થાપેલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી શીખવવાની શરૂઆત થતાં ગઝલમાં લોકોની દિલચશ્પી વધતી ગઈ. ફારસી સાહિત્ય એ ગઝલનું પિયર છે. એમાં ય ફારસી સાહિત્યના સુવર્ણકાળની જાહોજલાલી અને પૂર્વના સાહિત્યની પ્રશિષ્ટતાની ઝલક જો કોઈએ સૌથી વધુ દેખાડી હોય તો તે કવિ હાફિઝે.
હાફિઝ તો ફારસી કવિનું ઉપનામ છે. ૧૩૯૦માં શિરાઝમાં જન્મેલા હાફિઝનું મૂળ નામ તો શમસુદીન મોહમ્મદ છે. કુરાનને કંઠસ્થ રાખનારા ‘હાફિઝ’ કહેવાય છે. એટલે કે જે યાદ રાખે તે હાફિઝ, હાફિઝ ઉપનામ એક રીતે સાર્થક છે કારણ કે હાફિઝના આશ્રયદાતા હાજી કિવામુદ્દીને સ્થાપેલી મદ્રેસામાં હાફિઝ દરવિશ હતો. અને કુરાન શીખવતો હતો. વળી હાફિઝે બહુ વહેલેરો ફિલસૂફી, કવિતા અને અધ્યાત્મવિદ્યાનો ગંભીર અભ્યાસ આદરી દીધો હતો. ઈશ્ક, ફૂલ, સુરા અને બુલબુલને વારંવાર પોતાની રચનાઓમાં ગાતા હાફિઝે અનેક સાહિત્ય પ્રકારોમાં કામ કરેલું પણ હાફિઝની ગઝલોનો સંગ્રહ ‘દિવાન’ દુનિયાભરમાં જાણીતો છે. એના પોતાના મુલ્કમાં પણ એની નામના છે. એનો ‘દિવાન’ સૌથી વધુ લોકપ્રિય છે. ફારસીઓ તો ઘણીવાર એના ‘દિવાન’ને ખોલીને અકસ્માતથી પાનું હાથ આવતાં એના કોઈ શેર પર આંગળી મૂકી એમાંથી પોતાનું ભવિષ્ય શોધે છે. પોતાના જવાબો ખોળે છે.  
હાફિઝ તો ફારસી કવિનું ઉપનામ છે. ૧૩૯૦માં શિરાઝમાં જન્મેલા હાફિઝનું મૂળ નામ તો શમસુદીન મોહમ્મદ છે. કુરાનને કંઠસ્થ રાખનારા ‘હાફિઝ’ કહેવાય છે. એટલે કે જે યાદ રાખે તે હાફિઝ, હાફિઝ ઉપનામ એક રીતે સાર્થક છે કારણ કે હાફિઝના આશ્રયદાતા હાજી કિવામુદ્દીને સ્થાપેલી મદ્રેસામાં હાફિઝ દરવિશ હતો. અને કુરાન શીખવતો હતો. વળી હાફિઝે બહુ વહેલેરો ફિલસૂફી, કવિતા અને અધ્યાત્મવિદ્યાનો ગંભીર અભ્યાસ આદરી દીધો હતો. ઈશ્ક, ફૂલ, સુરા અને બુલબુલને વારંવાર પોતાની રચનાઓમાં ગાતા હાફિઝે અનેક સાહિત્ય પ્રકારોમાં કામ કરેલું પણ હાફિઝની ગઝલોનો સંગ્રહ ‘દિવાન’ દુનિયાભરમાં જાણીતો છે. એના પોતાના મુલ્કમાં પણ એની નામના છે. એનો ‘દિવાન’ સૌથી વધુ લોકપ્રિય છે. ફારસીઓ તો ઘણીવાર એના ‘દિવાન’ને ખોલીને અકસ્માતથી પાનું હાથ આવતાં એના કોઈ શેર પર આંગળી મૂકી એમાંથી પોતાનું ભવિષ્ય શોધે છે. પોતાના જવાબો ખોળે છે.  
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૦૧
|next =  
|next = ૨૦૩
}}
}}