9,256
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/38 to આત્માની માતૃભાષા/38) |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા|સિલાસ પટેલિયા}} | {{Heading|પ્રકૃતિથી માનવ સુધીની યાત્રા|સિલાસ પટેલિયા}} | ||
<center>'''દર્શન'''</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.] | [યુવક રવીન્દ્રનાથને કલકત્તામાં એક વાર સૂર્યોદય સમયે જીવનનો એક મહાન અનુભવ થયો. આંખ આગળથી જાણે કે પડદો સરી ગયો ને સમગ્ર વિશ્વ એકરૂપે દેખવા મળ્યું. એવામાં સામે રસ્તા પર બે મજૂરો હસતા હસતા ચાલ્યા જતા એમની નજરે પડ્યા; એમાં સચરાચર સૃષ્ટિમાં ઊભરાતા આનંદને એમણે ઓળખ્યો. કવિ પોતાની ‘જીવનસ્મૃતિ'માં આ અનુભવ વર્ણવતાં કહે છે કે પછી પોતે હિમાલય ગયા, એવી આશાથી કે કલકત્તામાં જોયેલું ત્યાં હિમાલયમાં વધુ ગંભીરપણે અનુભવવા મળશે. પણ એવું કાંઈ બન્યું નહિ. અને એમાં જ કવિનું સૌભાગ્ય હતું. આ કૃતિમાં હિમાલય પાસે કવિ પોતાના દર્શનની માગણી કરે છે અને હિમાલય તેમને એ માટે જગતમાં પાછા જવા કહે છે એ રીતે આરંભ કરી, કલકત્તામાં થયેલા દર્શનને પાછળથી નિરૂપ્યું છે (લગભગ કવિના જ શબ્દોમાં); અને હિમાદ્રિ કવિને પાછા જગત તરફ મોકલે છે એ પ્રસંગે જ કવિનું મૂળ દર્શન સાર્થક બની રહે છે એમ સૂચવ્યું છે. હિમાદ્રિને શિખરે શિખરે પેલા બે શ્રમીણોના સખ્યઆનંદનો ઉત્સવ જોતા કવિ માનવતાના સૌભાગ્યને વધાવતા જગતમાં પાછા વળી કવિઋષિ બને છે એ રીતે કૃતિનો અંત કલ્પ્યો છે.] | ||
| Line 125: | Line 126: | ||
આરંભ નાટ્યાત્મક છે. કાવ્યનાયક હિમાલયને સંબોધીને કહે છે: ‘હિમાદ્રિ અચલાધિરાજ, કરુણાર્દ્ર ગૌરીગુરો, જરી જવનિકા કઠોર તવ શૈલમાલા તણી — જરીક ઊંચકી ન લે?…’ આમાં વિનંતી પણ છે ને કલકત્તામાં જે દૃશ્ય જોવા મળેલું એ જોવાની તલખ પણ છે: ‘મળેલું શિશુનેત્રને સુભગ મોંઘું જે દર્શન.’ એ દર્શન અહીં એકદમ નથી મળતું એનો વલોપાત પણ છે. આરંભની પાંચ પંક્તિઓમાં કાવ્યનાયકની અભિલાષાનો અવાજ વલોપાત સાથે પ્રગટ થયો છે. | આરંભ નાટ્યાત્મક છે. કાવ્યનાયક હિમાલયને સંબોધીને કહે છે: ‘હિમાદ્રિ અચલાધિરાજ, કરુણાર્દ્ર ગૌરીગુરો, જરી જવનિકા કઠોર તવ શૈલમાલા તણી — જરીક ઊંચકી ન લે?…’ આમાં વિનંતી પણ છે ને કલકત્તામાં જે દૃશ્ય જોવા મળેલું એ જોવાની તલખ પણ છે: ‘મળેલું શિશુનેત્રને સુભગ મોંઘું જે દર્શન.’ એ દર્શન અહીં એકદમ નથી મળતું એનો વલોપાત પણ છે. આરંભની પાંચ પંક્તિઓમાં કાવ્યનાયકની અભિલાષાનો અવાજ વલોપાત સાથે પ્રગટ થયો છે. | ||
મહાનગરમાં જે દર્શન થયું હતું એ કવિ યા નાયક હિમાલયની ગિરિમાળાઓમાં, શૃંગે શૃંગે, ગુફાએ ગુફાએ, જળપ્રપાતોમાં, નિઝરતટે, દેવદારુઓમાં, (— ક્યાં ક્યાં નહીં?) શોધે છે પરંતુ નથી જડતું. હિમાલયમાં કરેલો વિહાર પણ ભવ્ય છે. એમાંથી એક ચલચિત્ર જેવી, તરલ, ચંચલ, સ્થિર, ગતિશીલ ચિત્રમાળા પ્રાપ્ત થાય છે, જે જીવંત બની રહી છે. સમાંતરે સૌંદર્યનો સાક્ષાત્કાર પણ એ કરે છે યા કવિ કરાવે છે એ પણ આ ભાગમાં મહત્ત્વની બાબત છે. સર્જનાત્મક ઉન્મેષોના સંદર્ભમાં આ અગત્યની પ્રક્રિયા છે. પહાડની એક એક ટૂક જેવા આ પડાવો છે — શૃંગ શૃંગ, એ પછી વનમાં વિહાર, ત્યાંથી નિઝર નદીતટ, વળી, ‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જેવું ભયાવહ ને ગતિશીલ ચિત્ર, દેવદારુની છાયા — આમ, એકએક પડાવ આંખ સામે ખડો થાય છે ને ભાવકલેખે હિમાલયના અસીમ સૌંદર્યનો અનુભવ મળે છે પરંતુ કાવ્યનાયકને જે અભિપ્રેત છે એ નથી મળતું એથી જ વળી પાછો અહીં આગળનો પેલો વલોપાત તીવ્ર બને છે: | મહાનગરમાં જે દર્શન થયું હતું એ કવિ યા નાયક હિમાલયની ગિરિમાળાઓમાં, શૃંગે શૃંગે, ગુફાએ ગુફાએ, જળપ્રપાતોમાં, નિઝરતટે, દેવદારુઓમાં, (— ક્યાં ક્યાં નહીં?) શોધે છે પરંતુ નથી જડતું. હિમાલયમાં કરેલો વિહાર પણ ભવ્ય છે. એમાંથી એક ચલચિત્ર જેવી, તરલ, ચંચલ, સ્થિર, ગતિશીલ ચિત્રમાળા પ્રાપ્ત થાય છે, જે જીવંત બની રહી છે. સમાંતરે સૌંદર્યનો સાક્ષાત્કાર પણ એ કરે છે યા કવિ કરાવે છે એ પણ આ ભાગમાં મહત્ત્વની બાબત છે. સર્જનાત્મક ઉન્મેષોના સંદર્ભમાં આ અગત્યની પ્રક્રિયા છે. પહાડની એક એક ટૂક જેવા આ પડાવો છે — શૃંગ શૃંગ, એ પછી વનમાં વિહાર, ત્યાંથી નિઝર નદીતટ, વળી, ‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જેવું ભયાવહ ને ગતિશીલ ચિત્ર, દેવદારુની છાયા — આમ, એકએક પડાવ આંખ સામે ખડો થાય છે ને ભાવકલેખે હિમાલયના અસીમ સૌંદર્યનો અનુભવ મળે છે પરંતુ કાવ્યનાયકને જે અભિપ્રેત છે એ નથી મળતું એથી જ વળી પાછો અહીં આગળનો પેલો વલોપાત તીવ્ર બને છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘પરંતુ ગયું ક્યાં, મળે ન ક્યમ દેખવા તે અહો | ‘પરંતુ ગયું ક્યાં, મળે ન ક્યમ દેખવા તે અહો | ||
નિહાળ્યું હતું જે મહાનગરની ભરી ભીડમાં? | નિહાળ્યું હતું જે મહાનગરની ભરી ભીડમાં? | ||
લહ્યું ન અહીં શાંતિમાં, લહ્યું'તું જેહ કોલાહલે!’ | લહ્યું ન અહીં શાંતિમાં, લહ્યું'તું જેહ કોલાહલે!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
અહીં અપાર શાંતિ છે. એ શાંતિમાં ગંભીરપણે પેલું દૃશ્ય અનુભવવું છે જે મહાનગરની ભરી ભીડમાંથી મળ્યું હતું. દૃશ્ય એ મળતું નથી પરંતુ હિમાલયનું અસીમ સૌંદર્ય માણવા મળે છે, એ સૌંદર્યમાંથી પેલું માનવસૌંદર્ય મળે એવી નાયકની ઝંખના ભલે તોષાતી નથી પણ જે જે સૌંદર્યમય દૃશ્યો એ જુએ છે એ એની ચેતનાને વિશેષ સ્પષ્ટ બનાવી દે છે. એ દૃશ્યો પણ કેવા મધુર છે! ‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતાં અનિદ્ર તવ નીલરક્તદલ શુભ્ર પદ્મો સમાંભરી ક્ષિતિજવ્યોમ શૃંગ પર શૃંગ, મલક્યાં કરે.’ તરલ ચંચલ ને ગતિશીલ આ ભવ્યચિત્રો અદ્ભુત છે. એક દિવ્ય ચૈતન્યમાં નાયક લય પામે છે. એનું પેલું દૃશ્ય, અહીં, જોવાનું સ્વપ્ન પણ સરી ગયું. અહીં સુધી કાવ્યમાં હિમાલયના સૌંદર્યસન્મુખ નાયક સતત ઊભો રહે છે પરંતુ એનું મન તો પેલા મહાનગરના દૃશ્યને અહીં જોવા તત્પર છે. | અહીં અપાર શાંતિ છે. એ શાંતિમાં ગંભીરપણે પેલું દૃશ્ય અનુભવવું છે જે મહાનગરની ભરી ભીડમાંથી મળ્યું હતું. દૃશ્ય એ મળતું નથી પરંતુ હિમાલયનું અસીમ સૌંદર્ય માણવા મળે છે, એ સૌંદર્યમાંથી પેલું માનવસૌંદર્ય મળે એવી નાયકની ઝંખના ભલે તોષાતી નથી પણ જે જે સૌંદર્યમય દૃશ્યો એ જુએ છે એ એની ચેતનાને વિશેષ સ્પષ્ટ બનાવી દે છે. એ દૃશ્યો પણ કેવા મધુર છે! ‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતાં અનિદ્ર તવ નીલરક્તદલ શુભ્ર પદ્મો સમાંભરી ક્ષિતિજવ્યોમ શૃંગ પર શૃંગ, મલક્યાં કરે.’ તરલ ચંચલ ને ગતિશીલ આ ભવ્યચિત્રો અદ્ભુત છે. એક દિવ્ય ચૈતન્યમાં નાયક લય પામે છે. એનું પેલું દૃશ્ય, અહીં, જોવાનું સ્વપ્ન પણ સરી ગયું. અહીં સુધી કાવ્યમાં હિમાલયના સૌંદર્યસન્મુખ નાયક સતત ઊભો રહે છે પરંતુ એનું મન તો પેલા મહાનગરના દૃશ્યને અહીં જોવા તત્પર છે. | ||
કાવ્યના મધ્યભાગમાં હિમાલય સાથે નાયક ને નાયક સાથે હિમાલયનો સંવાદ છે. નાયકને હજુય ફરિયાદ છે કે અહીં આવીને હું એક એવો મંત્ર પામીશ જે પેલા મહાનગરના આનંદદૃશ્યને વધારે સઘન બનાવે પરંતુ આ તો ’…રવમૂક નિર્ઘૃણ અકંપ તું તો ઊભો અહો હૃદય શારતું, અદય, મૌન મીંઢું તવ!'નો અનુભવ કરાવે છે, તેથી વિષાદ વધારે તીવ્ર બની જાય છે. એ જ વેળા હિમાલય એની સાથે સંવાદ સાધે છે, એનામાં જે દ્વિધા છે, પીડા છે, સમસ્યા છે, એનો ઉકેલ આપે છે. એમાં હિમાલયની વેદના પણ છે: ‘કદી સરવરે જળે નીરખી છે છવિ માહરી? અને નીરખી છે પ્રચંડ મુજ કાય કંપી જતી જરીક લઘુ કોઈ કંકર પડ્યે તહીં વારિમાં? જગજ્જન તણો નિસાસભર શબ્દખીણો મહીં સ્ફુર્યે, મુજની કાય એવી થથરી ઊઠે કારમી. હિમાદ્રિ નવ હું, જગજ્જન તણા નિસાસા થીજી થયેલ નભચુંબી રાશિ, બસ એ જ હું!…’ | કાવ્યના મધ્યભાગમાં હિમાલય સાથે નાયક ને નાયક સાથે હિમાલયનો સંવાદ છે. નાયકને હજુય ફરિયાદ છે કે અહીં આવીને હું એક એવો મંત્ર પામીશ જે પેલા મહાનગરના આનંદદૃશ્યને વધારે સઘન બનાવે પરંતુ આ તો ’…રવમૂક નિર્ઘૃણ અકંપ તું તો ઊભો અહો હૃદય શારતું, અદય, મૌન મીંઢું તવ!'નો અનુભવ કરાવે છે, તેથી વિષાદ વધારે તીવ્ર બની જાય છે. એ જ વેળા હિમાલય એની સાથે સંવાદ સાધે છે, એનામાં જે દ્વિધા છે, પીડા છે, સમસ્યા છે, એનો ઉકેલ આપે છે. એમાં હિમાલયની વેદના પણ છે: ‘કદી સરવરે જળે નીરખી છે છવિ માહરી? અને નીરખી છે પ્રચંડ મુજ કાય કંપી જતી જરીક લઘુ કોઈ કંકર પડ્યે તહીં વારિમાં? જગજ્જન તણો નિસાસભર શબ્દખીણો મહીં સ્ફુર્યે, મુજની કાય એવી થથરી ઊઠે કારમી. હિમાદ્રિ નવ હું, જગજ્જન તણા નિસાસા થીજી થયેલ નભચુંબી રાશિ, બસ એ જ હું!…’ | ||
આમ, હિમાલય કાવ્યનાયકને પોતાની ઓળખ આપે છે. પોતાની પ્રચંડતા પણ કેવી છે એ સૂચવે છે. પોતે કેવી રહસ્યમયતા અંકે કરીને ઊભો છે એ પણ સમજાવે છે. જે જે અહીં આવ્યા છે એમને મેં પાછા જગતમાં વાળ્યા છે એમ પણ સમજાવે છે ને કહે છે: | આમ, હિમાલય કાવ્યનાયકને પોતાની ઓળખ આપે છે. પોતાની પ્રચંડતા પણ કેવી છે એ સૂચવે છે. પોતે કેવી રહસ્યમયતા અંકે કરીને ઊભો છે એ પણ સમજાવે છે. જે જે અહીં આવ્યા છે એમને મેં પાછા જગતમાં વાળ્યા છે એમ પણ સમજાવે છે ને કહે છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘રહ્યા વિચરી નિત્ય જે સ્મિતમુખે બધું આયુષ, | ‘રહ્યા વિચરી નિત્ય જે સ્મિતમુખે બધું આયુષ, | ||
ખરું ફકત તેમને જગતમાં થયું દર્શન. | ખરું ફકત તેમને જગતમાં થયું દર્શન. | ||
| Line 137: | Line 144: | ||
ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું. | ઘટે ભીતરમાં, બહાર નહિ એ, ભલા, ખોજવું. | ||
લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’ | લહી, પ્રિય, થજે તુંયે પ્રથિત ક્રાન્તદર્શી કવિ.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હિમાલયની આવી વાણી સાંભળી કાવ્યનાયક અવાક થઈ જાય છે. બહાર નહીં પરંતુ ભીતરમાં શોધવાની વાત એને અડી જાય છે. મનુજવૃંદમાં જ જીવનું સારસર્વસ્વ છે એ નાયક સમજે છે અને એનું આખુંય વલણ બદલાઈ જાય છે. મન શાંત-પ્રગાઢ-શાંત વાતાવરણમાં મુકાય છે. જે મહાનગરમાં જોયું હતું એ એને અહીં એકદમ જુદી જ રીતે દેખાય છે. એને અપૂર્વ અનુભવ થાય છે. આંખ આગળથી પડદો ખસી જાય છે. તુચ્છતા ઓગળી જાય છે કેમકે સાચા અર્થમાં એ હિમાલયની પ્રકૃતિના સૌંદર્યને પામ્યો છે. સમસ્ત જગને એણે દર્શકની હેસિયતથી જોયું. અલૌકિક અભિજ્ઞતા લાધી ને આનંદથી એ ઝૂમી ઊઠ્યો. એની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ છે. કાવ્યનાયકની આવી અલૌકિક મન:સ્થિતિ કવિ આ રીતે ચિત્રિત કરે છે: ‘સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌંદર્યની સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.’ આ ‘લીલયા'નો અનુભવ એનામાં આનંદનો ઉછાળ લાવે છે. જગત નવા ચૈતન્યથી ભરેલું પ્રતીત થાય છે. અંદરથી એ અગાધ રસનો ફુવારો અનુભવે છે. ચારેબાજુ એને હાસ્યનું ઝરણું જોવા મળે છે. દિવ્ય સૌંદર્યમાં આ આખીય સૃષ્ટિ નર્તન કરતી એને દેખાય છે. કવિ યા કાવ્યનાયકમાં હવે ઋષિત્વ પ્રાપ્ત થયું છે. હિમાદ્રિશિખરો પર સુભગ દૃશ્ય દીપી રહ્યું છે એ કાવ્યનાયક જુએ છે: | હિમાલયની આવી વાણી સાંભળી કાવ્યનાયક અવાક થઈ જાય છે. બહાર નહીં પરંતુ ભીતરમાં શોધવાની વાત એને અડી જાય છે. મનુજવૃંદમાં જ જીવનું સારસર્વસ્વ છે એ નાયક સમજે છે અને એનું આખુંય વલણ બદલાઈ જાય છે. મન શાંત-પ્રગાઢ-શાંત વાતાવરણમાં મુકાય છે. જે મહાનગરમાં જોયું હતું એ એને અહીં એકદમ જુદી જ રીતે દેખાય છે. એને અપૂર્વ અનુભવ થાય છે. આંખ આગળથી પડદો ખસી જાય છે. તુચ્છતા ઓગળી જાય છે કેમકે સાચા અર્થમાં એ હિમાલયની પ્રકૃતિના સૌંદર્યને પામ્યો છે. સમસ્ત જગને એણે દર્શકની હેસિયતથી જોયું. અલૌકિક અભિજ્ઞતા લાધી ને આનંદથી એ ઝૂમી ઊઠ્યો. એની દૃષ્ટિ પણ બદલાઈ ગઈ છે. કાવ્યનાયકની આવી અલૌકિક મન:સ્થિતિ કવિ આ રીતે ચિત્રિત કરે છે: ‘સમષ્ટિહૃદયેથી ઊઠી સરતા તરંગો સમું સમુલ્લસત સર્વ આ જગત દીઠું સૌંદર્યની સવારી પર નીકળેલું રસડોલતું લીલયા.’ આ ‘લીલયા'નો અનુભવ એનામાં આનંદનો ઉછાળ લાવે છે. જગત નવા ચૈતન્યથી ભરેલું પ્રતીત થાય છે. અંદરથી એ અગાધ રસનો ફુવારો અનુભવે છે. ચારેબાજુ એને હાસ્યનું ઝરણું જોવા મળે છે. દિવ્ય સૌંદર્યમાં આ આખીય સૃષ્ટિ નર્તન કરતી એને દેખાય છે. કવિ યા કાવ્યનાયકમાં હવે ઋષિત્વ પ્રાપ્ત થયું છે. હિમાદ્રિશિખરો પર સુભગ દૃશ્ય દીપી રહ્યું છે એ કાવ્યનાયક જુએ છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘પરસ્પર તણે ખભે ઉભય ભેરવી હાથ ત્યાં | ‘પરસ્પર તણે ખભે ઉભય ભેરવી હાથ ત્યાં | ||
શ્રમીણ હસતા ઊભા, સુહતું મુક્ત ત્યાં હાસ તે.’ | શ્રમીણ હસતા ઊભા, સુહતું મુક્ત ત્યાં હાસ તે.’ | ||
</poem> | |||
આ છે અંતિમ દૃશ્ય જે મહાનગરમાં જોયું હતું. એ અહીં કાવ્યના અંતે જોયું એક દર્શકની રીતે! નવતર પ્રાણ સાથે! | આ છે અંતિમ દૃશ્ય જે મહાનગરમાં જોયું હતું. એ અહીં કાવ્યના અંતે જોયું એક દર્શકની રીતે! નવતર પ્રાણ સાથે! | ||
કાવ્યના અંતની પંક્તિઓ છે: | કાવ્યના અંતની પંક્તિઓ છે: | ||
<poem> | |||
‘સમાધિ થકી જાગી એ અપરિમેય આનંદની, | ‘સમાધિ થકી જાગી એ અપરિમેય આનંદની, | ||
વળ્યો કવિ જગે, શુભંકર ભરી ઉરે દર્શન.’ | વળ્યો કવિ જગે, શુભંકર ભરી ઉરે દર્શન.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હિમાલયની આ વિહારયાત્રા જાણે કે સમાધિમય ભાવસ્થિતિ હતી. એ ભાવસ્થિતિ કાવ્યનાયકના ભાવજગતને બદલી નાંખે છે ને એવો બદલાયેલો કાવ્યનાયક પ્રકૃતિના ખોળેથી માનવખોળે પાછો વળે છે. વળે છે પાછો મહાન દર્શન અને એ દર્શનમાંથી અપરિમેય આનંદની અનુભૂતિ લઈ! | હિમાલયની આ વિહારયાત્રા જાણે કે સમાધિમય ભાવસ્થિતિ હતી. એ ભાવસ્થિતિ કાવ્યનાયકના ભાવજગતને બદલી નાંખે છે ને એવો બદલાયેલો કાવ્યનાયક પ્રકૃતિના ખોળેથી માનવખોળે પાછો વળે છે. વળે છે પાછો મહાન દર્શન અને એ દર્શનમાંથી અપરિમેય આનંદની અનુભૂતિ લઈ! | ||
‘સમુત્સવ લસી રહ્યો સરલ સૃષ્ટિસૌહાર્દનો.’ | ‘સમુત્સવ લસી રહ્યો સરલ સૃષ્ટિસૌહાર્દનો.’ | ||
| Line 152: | Line 167: | ||
સજીવ ચિત્રાવલિ, આ કાવ્યમાં ઠેકઠેકાણે છે, એમાં કલ્પનશ્રેણી પણ છે. દૃશ્યશ્રાવ્યઘ્રાણ્યસ્પર્શ્ય કલ્પનોથી એ ખચિત છે. એનાય અઢળક ઉદાહરણો છે. થોડાંક જોયા વિના ચાલે જ નહીં. જોઈએ — | સજીવ ચિત્રાવલિ, આ કાવ્યમાં ઠેકઠેકાણે છે, એમાં કલ્પનશ્રેણી પણ છે. દૃશ્યશ્રાવ્યઘ્રાણ્યસ્પર્શ્ય કલ્પનોથી એ ખચિત છે. એનાય અઢળક ઉદાહરણો છે. થોડાંક જોયા વિના ચાલે જ નહીં. જોઈએ — | ||
‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જળપ્રપાત, શિલાતટ-દૃશ્યો રચે છે ને એની સાથે વ્યાઘ્રફાળ વળી ભયાવહતા રચે છે. આવી સહોપસ્થિતિ કલાત્મક તો છે જ, એટલી જ સંવેદ્ય પણ છે. | ‘પ્રપાત જળના શિલાતટથી વ્યાઘ્રફાળે ધસે.’ જળપ્રપાત, શિલાતટ-દૃશ્યો રચે છે ને એની સાથે વ્યાઘ્રફાળ વળી ભયાવહતા રચે છે. આવી સહોપસ્થિતિ કલાત્મક તો છે જ, એટલી જ સંવેદ્ય પણ છે. | ||
* | <center>*</center> | ||
‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતા’ પંક્તિ વાંચતાં જ તુહિન તરવરે છે ને પછી તરત ‘શુભ્ર પદ્યો’ પણ જીવંત થઈ ઊઠે છે. | ‘તરે તુહિનના અફાટ પટ ઉપરે ડોલતા’ પંક્તિ વાંચતાં જ તુહિન તરવરે છે ને પછી તરત ‘શુભ્ર પદ્યો’ પણ જીવંત થઈ ઊઠે છે. | ||
* | <center>*</center> | ||
‘પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ’… એક જ પંક્તિમાં કેટલાં ચિત્રો છે! પરોઢનો સમય, ઉષા, અદ્રિ, ઉષા પણ કેવી — સ્મિતમુખી… ચારપાંચ ચિત્રો સામટાં રચાયાં છે ને એમાંથી એક વિશાળ દૃશ્યફલક બન્યું છે. પહાડમાંથી સ્મિતમુખી ઉષા ફૂટે છે! આ કલ્પના જ ગજબની છે. મહાકવિની પ્રતિભા જ પહાડને આમ જોઈ શકે! | ‘પરોઢ સમયે સ્ફુરે સ્મિતમુખી ઉષા અદ્રિએ’… એક જ પંક્તિમાં કેટલાં ચિત્રો છે! પરોઢનો સમય, ઉષા, અદ્રિ, ઉષા પણ કેવી — સ્મિતમુખી… ચારપાંચ ચિત્રો સામટાં રચાયાં છે ને એમાંથી એક વિશાળ દૃશ્યફલક બન્યું છે. પહાડમાંથી સ્મિતમુખી ઉષા ફૂટે છે! આ કલ્પના જ ગજબની છે. મહાકવિની પ્રતિભા જ પહાડને આમ જોઈ શકે! | ||
બીજાં અનેક ઉદાહરણો આગળ ટાંકેલી પંક્તિઓમાં આવી જાય છે. તેથી, પુનરાવર્તનદોષ નથી કરતો. પરંતુ એમાંય આ રીતે જ કવિએ નવું જ જગત રચ્યું છે, જે કાવ્યનાયકના મનને અને હિમાલયના અનિવર્ચનીય સૌંદર્યને પ્રગટ કરે છે. એ રીતે નાયકને હિમાલયની ગરિમા પણ દર્શાવવી છે ને પ્રકૃતિનું તાટસ્થ્ય પણ દર્શાવવું છે, એની ઉપર માનવ છે, એ પણ સમજાવવું છે જેમાં કવિને પૂર્ણ સફળતા સાંપડી છે. | બીજાં અનેક ઉદાહરણો આગળ ટાંકેલી પંક્તિઓમાં આવી જાય છે. તેથી, પુનરાવર્તનદોષ નથી કરતો. પરંતુ એમાંય આ રીતે જ કવિએ નવું જ જગત રચ્યું છે, જે કાવ્યનાયકના મનને અને હિમાલયના અનિવર્ચનીય સૌંદર્યને પ્રગટ કરે છે. એ રીતે નાયકને હિમાલયની ગરિમા પણ દર્શાવવી છે ને પ્રકૃતિનું તાટસ્થ્ય પણ દર્શાવવું છે, એની ઉપર માનવ છે, એ પણ સમજાવવું છે જેમાં કવિને પૂર્ણ સફળતા સાંપડી છે. | ||