આત્માની માતૃભાષા/4: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
m (Atulraval moved page પરબ વિશેષાંક/4 to આત્માની માતૃભાષા/4 without leaving a redirect)
 
(4 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:


{{Heading|‘જઠરાગ્નિ’: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી|ડૉ. નીરવ પટેલ}}
{{Heading|‘જઠરાગ્નિ’: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી|ડૉ. નીરવ પટેલ}}
<center>'''જઠરાગ્નિ'''</center>
<poem>
<poem>
રચો, રચો અંબરચુંબી મંદિરો,
રચો, રચો અંબરચુંબી મંદિરો,
Line 19: Line 20:
</poem>
</poem>
<br>
<br>
 
વીસાપુર જલે , એપ્રિલ ૧૯૩૨
{{Poem2Open}}
{{Poem2Open}}
‘જઠરાગ્નિ’ કવિતાનો જિકર થાય ત્યારે એક આખો કાળખંડ અને એક યુગપુરુષની પ્રેરણાથી દીન-દલિત પ્રત્યે પ્રતિબદ્ધ થયેલા ગુજરાતી લેખકો-કવિઓ જે ઉમાશંકરના સમકાલીન હતા તે સૌ સાંભરે. પણ મને સવિશેષ તો મેઘાણીની ‘અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ અને પછી આવતી ટેકપંક્તિઓ — ‘ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે! તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!’ તથા આ અદ્ભુત કવિતાના ટોનથી જુદેરા ટોનમાં પણ એ જ નિસબત પ્રગટ કરતી કરસનદાસ માણેકની કવિતા ખાસ સાંભરે:
‘જઠરાગ્નિ’ કવિતાનો જિકર થાય ત્યારે એક આખો કાળખંડ અને એક યુગપુરુષની પ્રેરણાથી દીન-દલિત પ્રત્યે પ્રતિબદ્ધ થયેલા ગુજરાતી લેખકો-કવિઓ જે ઉમાશંકરના સમકાલીન હતા તે સૌ સાંભરે. પણ મને સવિશેષ તો મેઘાણીની ‘અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ અને પછી આવતી ટેકપંક્તિઓ — ‘ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે! તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!’ તથા આ અદ્ભુત કવિતાના ટોનથી જુદેરા ટોનમાં પણ એ જ નિસબત પ્રગટ કરતી કરસનદાસ માણેકની કવિતા ખાસ સાંભરે:
{{Poem2Close}}
<poem>
'''‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,'''
'''‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,'''
'''દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા,'''
'''દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા,'''
'''તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’'''
'''તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’'''
</poem>
{{Poem2Open}}
આ ત્રણે કવિતાઓ ગાંધીયુગની ચેતનાની નિપજ છે એ નિ:શંકપણે કહી શકાય. ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગનો સર્જકધર્મ શો હતો? મેઘાણી લખે છે: ’…પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે. એ ખરા દિલની મજૂરી કરે: પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો નકશી કરે, ને નહિ તો સાદા પથ્થરો ફોડે. ચાહે એ મહાકાવ્ય રચે, કે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે; પણ એનું નિર્મિત કાર્ય તો એ કરે જ કરે. ન કરનારને નવરચનામાં સ્થાન નહિ.’
આ ત્રણે કવિતાઓ ગાંધીયુગની ચેતનાની નિપજ છે એ નિ:શંકપણે કહી શકાય. ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગનો સર્જકધર્મ શો હતો? મેઘાણી લખે છે: ’…પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે. એ ખરા દિલની મજૂરી કરે: પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો નકશી કરે, ને નહિ તો સાદા પથ્થરો ફોડે. ચાહે એ મહાકાવ્ય રચે, કે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે; પણ એનું નિર્મિત કાર્ય તો એ કરે જ કરે. ન કરનારને નવરચનામાં સ્થાન નહિ.’
અને જાણે ઉમાશંકર ‘નકશીકામ’ આવડતું હોવા છતાં એને બાજુએ મૂકી ‘જઠરાગ્નિ’ કાવ્યની રચના થકી પથ્થરો ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે. અને એટલે જ વિચાર, સંવેદન અને નિસબતના સંમિશ્રણ સમી આ કવિતા સીધી (direct), સાદી (simple) અને સચોટ (true) અભિવ્યક્તિ લઈને આવી છે. એ એટલી સુબોધ છે કે એને ભાગ્યે જ સમજાવવી પડે!
અને જાણે ઉમાશંકર ‘નકશીકામ’ આવડતું હોવા છતાં એને બાજુએ મૂકી ‘જઠરાગ્નિ’ કાવ્યની રચના થકી પથ્થરો ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે. અને એટલે જ વિચાર, સંવેદન અને નિસબતના સંમિશ્રણ સમી આ કવિતા સીધી (direct), સાદી (simple) અને સચોટ (true) અભિવ્યક્તિ લઈને આવી છે. એ એટલી સુબોધ છે કે એને ભાગ્યે જ સમજાવવી પડે!
Line 36: Line 41:
કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ.
કવિએ લખ્યું છે: ‘તત્ત્વજ્ઞાન કરતાં વધુ સર્વસુગમ અને હૃદયંગમ રીતે મનુષ્યજીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે. એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણભાન દાખવે છે.’ ‘જઠરાગ્નિ'ના કવિ, અમે ખરે જ તારા ઓશિંગણ છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3
|next = 5
}}

Navigation menu