9,256
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 22: | Line 22: | ||
{{Right|(ગોરજ, ૧૯૫૭, પૃ. ૧૪૮)}} | {{Right|(ગોરજ, ૧૯૫૭, પૃ. ૧૪૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1b/Ame_Re_Sukun_Runun_Pumdun-Ajit_Sheth.mp3 | |||
}} | |||
<br> | |||
મકરન્દ દવે • અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા • સ્વરનિયોજન: અજીત શેઠ • સ્વર: અજીત શેઠ | |||
<br> | |||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
<hr> | |||
<br> | |||
<br> | <br> | ||
| Line 52: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</div></div> | </div></div> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
<div class="toccolours mw-collapsible" style="width:400px; overflow:auto;"> | |||
<div style="font-weight:bold;line-height:1.6;">આસ્વાદ: મનોહર મનુહાર! – રાધેશ્યામ શર્મા</div> | |||
<div class="mw-collapsible-content"> | |||
{{Poem2Open}} | |||
જૂની ભજનવાણીના ઢાળમાં પણ કવિતા સર્જી શકાય, એ તથ્ય મકરન્દની આ કૃતિ સફળપણે જાહેર કરે છે. | |||
વળી પદમાં ગીતની સર્વ શક્યતાઓનો તાગ લેવા અને કસ કાઢવાનું ભાષા-સામર્થ્ય દાખવવાની કલાત્મક પેરવી અહીં સુપેરે યોજાઈ છે. | |||
‘આવો, રે આવો હો જીવણ, આમના’ — ત્રણ વાર પ્રકટતી ધ્રુવપંક્તિમાં ગીત પૂરું થયું છે અને ભક્તિપદનું શીર્ષક પણ ‘આવો’ હોવાથી આમંત્રણનો ભાવ સતત ઘૂંટાતો રહે છે, ઘનીભૂત થતો રહે છે. | |||
‘અમે’થી આપણે સૌ લોક અને લૌકિકતા ‘તમે’ વડે તે (તત્) અને અલૌકિક લોકોત્તરતા સૂચવાઈ છે. અહીં અમે અને તમેની અભેદતા નહીં, પણ નોંધપાત્ર ભેદ અને ભિન્નતા છતી કરાઈ છે. | |||
અમે કેવાં અને કોણ? ત્રણ રૂપકમાં રજૂ થયું: પૂમડું, જાળિયું, અને ઈંધણું. તમે એટલે કેવા અને કોણ? અત્તર, તેજ-અંબાર, અગનના શણગાર! ખૂબી એવી છે, કીમિયો એવો છે કે ‘અમે’ને ‘તમે’ જ પલટી શકે એમ છે. | |||
‘તમે’ ઉપર ‘અમે’ની અનેરી આસ્થા ના હોત તો ‘આવો’ કહેવાની ઓગમણ અને આશા દાખવતે? કેમ કે ‘અમે’માં સર્જકે પોતાને સંપૂર્ણ ભેળવી લીધો છે! ‘અમે’ના પદમાં રહીને અથવા રહેવાથી જ ‘તમે’ના શક્તિસામર્થ્યની કર્તાને સૂઝ પડી છે. તે અને તમે વિશે સંબોધકને રજમાત્ર સંદેહ નથી. આવા શ્રદ્ધાસૂત્રની સધ્ધર સંગીનતા જ ભક્તિગીતને એની સહજ અભિવ્યક્તિમાં કૃતકતા અને કૃત્રિમતાથી ઉદ્ધારી, ઉગારે છે. | |||
સૂકું રૂનું પૂમડું શુષ્કતા, જાળિયું, ઘરનો અટૂલો સૂનકાર અને ઈંધણું હ્રાસને મૂર્ત કરે છે. સામે અને સાથે – અત્તર, તેજ અને અગ્નિને મૂકીને ઘ્રાણેન્દ્રિય, દર્શનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો અનુભવ ઉપલબ્ધ કરાવાયો છે. | |||
વીંધવાની–ભેદવાની–પ્રજાળવાની પ્રક્રિયામાં જ ‘અમે’ સંપૂર્ણપણે સંશોધિત થઈ શુદ્ધ થાય એમ છે. માટે તો ‘અમે’, ‘તમે’ને આર્તનાદભર્યું છતાં અનાક્રમક અને અથાક આમંત્રણ ‘આવો’માં આપ્યા જ કરે છે. આવી સત્તા અને શક્તિ એકમાત્ર પરમાત્મામાં જ હોઈ શકે – જીવાત્માને પલટવાની તેમજ પલોટવાની! | |||
મકરન્દની ભાષાશક્તિ ‘તરબોળી દ્યોને તારેતારને’, ‘ભેદીને ભીડેલા ભોગળ આગળા’, ‘પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી’ જેવી વર્ણસગાઈ કે અનુપ્રાસયુક્ત પંક્તિઓમાં મુખરિત થઈ મહોરી ઊઠે છે. ‘સૂના ઘરનું જાળિયું’ મને સ્પર્શી, સ્પંદિત કરી ગયેલું ઉત્તમ ભાવકલ્પન છે. બારમા ધોરણના વિજ્ઞાનપ્રવાહમાં આવી નમૂનેદાર ગીતકૃતિને કેવી સમજથી ગ્રંથનિકાલ કરાઈ હશે?!<br> | |||
(કાવ્યસંકેત, રાધેશ્યામ શર્મા) | |||
{{Poem2Close}} | |||
</div></div> | |||
<br> | |||
<hr> | |||
<br> | |||