અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉપહાર: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 28: | Line 28: | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી | ઉઘાડી રાખજો બારી]] | દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/અતિજ્ઞાન | અતિજ્ઞાન]] | ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે]] | |||
}} | |||
Revision as of 10:28, 19 October 2021
ઉપહાર
‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે![1] સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!
તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!
ઠરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d09f51d59f4_63918979
કાવ્યપઠન • વિનોદ જોશી
- ↑ આ સંબોધન પ્રો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે.