યુરોપ-અનુભવ/વિનસનો જન્મ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિનસનો જન્મ}} {{Poem2Open}} ફ્લૉરન્સે તો મન મોહી લીધું. તડકાથી ઉજ્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 27: Line 27:
પણ, મધ્યકાળની એ ધાર્મિક દૃષ્ટિ અને એનાથી પ્રભાવિત કલાકારોની જીવનદૃષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. ચૌદમી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી : એક તો કોસ્ટન્ટિનોપલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમની કળા અને સંસ્કૃતિની શોધ; અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદ્વત્તા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસાં — પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદૃષ્ટિ અને સ્વ-ની શોધ. ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો, સૌંદર્યનો મહિમા થયો. ફ્લૉરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. બોતીચેલીની વિનસ આગળ આવીને જેવાં ઊભાં કે રેનેસાંનાં એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યાં.
પણ, મધ્યકાળની એ ધાર્મિક દૃષ્ટિ અને એનાથી પ્રભાવિત કલાકારોની જીવનદૃષ્ટિમાં હવે પાયાનું પરિવર્તન આવતું હતું. ચૌદમી સદીમાં ઇટાલિયનોએ બે શોધ કરી : એક તો કોસ્ટન્ટિનોપલના પતન પછી પ્રાચીન ગ્રીક રોમની કળા અને સંસ્કૃતિની શોધ; અને બીજી શોધ તે પોતાની જાતની. એને પરિણામે વિદ્વત્તા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળામાં એક અદ્ભુત જુવાળ આવ્યો. દુનિયાને આજે પણ એનું આશ્ચર્ય છે. એ નવું આંદોલન તે રેનેસાં — પુનર્જન્મ કે પુનર્જાગરણ. તે જાગરણ તે આ પ્રાચીન સૌંદર્યમૂલક કલાદૃષ્ટિ અને સ્વ-ની શોધ. ધર્મને સ્થાને માનવ કેન્દ્રમાં સ્થાપિત થયો. ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર સાથે પણ જીવનના આનંદનો, સૌંદર્યનો મહિમા થયો. ફ્લૉરેન્સ હતું આ મહાન આંદોલનનું કેન્દ્ર. બોતીચેલીની વિનસ આગળ આવીને જેવાં ઊભાં કે રેનેસાંનાં એ સ્પંદનો ચેતનાને ઝંકૃત કરી રહ્યાં.


મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોષીને કંઠે રાઇનેર મારિયા રિલ્કેનું કાવ્ય ‘વિનસનો જન્મ’ — The Birth of Venus સાંભળ્યું હતું, તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી છે.
મુંબઈમાં રાજેન્દ્ર શાહની લિપિની પ્રિન્ટરીમાં સુરેશ જોષીને કંઠે રાઇનેર મારિયા રિલ્કેનું કાવ્ય ‘વિનસનો જન્મ’ <big>— The Birth of Venus</big> સાંભળ્યું હતું, તેમાં વિનસના બે ઢીંચણને બે ચંદ્રની ઉપમા આપી છે તે યાદ રહી ગયેલી છે.


આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્રજન્મા છે. રવીન્દ્રનાથના ‘ઉર્વશી’ કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપસૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે, ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. એને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોઢમાં કદી પાલવ ઓઢી દીવો પેટાવતી નથી, કે નથી મધુરજનીએ વાસરશય્યામાં છાતીમાં કંપ લઈ નમ્ર નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રકટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે.
આ વિનસની સાથે આપણું પૌરાણિક પાત્ર ઉર્વશી મૂકી શકાય. ઉર્વશી પણ સમુદ્રજન્મા છે. રવીન્દ્રનાથના ‘ઉર્વશી’ કાવ્યમાં ઉર્વશી સનાતન રૂપસૌંદર્યનું પ્રતીક છે. એ કવિતામાં રવીન્દ્રનાથે કહ્યું છે કે, ઉર્વશી માતા નથી, કન્યા નથી, વધુ નથી, એ માત્ર રૂપસી છે. એને કોઈ શૈશવ નથી. ગૃહિણીની જેમ એ ગાયોની કોઢમાં કદી પાલવ ઓઢી દીવો પેટાવતી નથી, કે નથી મધુરજનીએ વાસરશય્યામાં છાતીમાં કંપ લઈ નમ્ર નેત્રપાતે પ્રવેશ કરતી. એ જે દિવસે જન્મી તે દિવસે જ પૂર્ણ પ્રસ્ફુટિત નારી રૂપે પ્રકટી. આ ઉર્વશી પ્રથમ વેદમાં દેખાય છે. પછી કવિ કાલિદાસે એને પોતાના એક નાટકની નાયિકા બનાવી. વિનસ ઉર્વશીની સહોદરા છે, પણ વિનસ ભાગ્યશાળી છે.
Line 117: Line 117:
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી!
કવિ ડાન્ટે કાલિદાસની જેમ એમની કવિતામાં આવતા ઉપમા અલંકારથી તેઓ કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. એ ઉપમા ગમે તેટલી ઉત્તમ કેમ ન હોય, પણ અત્યારે તો ડાન્ટેના ફ્લૉરેન્સ નગરમાં જ તપેલીની આસપાસ કૂંડાળું વળીને બેસી ગયેલાં અમારે માટે તો આ ક્ષણે વરાળ નીકળતી આ ગરમ ગરમ ‘ઉપમા’ જ સર્વશ્રેષ્ઠ હતી!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[યુરોપ-અનુભવ/રોમ રોમમાં રોમાં|રોમ રોમમાં રોમાં]]
|next = [[યુરોપ-અનુભવ/કેટલો ભવ્ય છે મનુષ્ય!|કેટલો ભવ્ય છે મનુષ્ય!]]
}}
26,604

edits