19,010
edits
m (NileshValanki moved page કાવ્યચર્ચા – સુરેશ હ. જોષી/‘થોડી કાવ્યચર્ચા’ વિશે to કાવ્યચર્ચા/થોડી કાવ્યચર્ચા વિશે without leaving a redirect) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|થોડી કાવ્યચર્ચા વિશે | સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
22મી ગુજરાતી સાહિત્ય પરિષદ વિભાગના પ્રમુખસ્થાનેથી મનસુખલાલ ઝવેરીએ જે કહ્યું તેમાં કેટલાંક ચિન્ત્ય વિધાનો છે. એમનું વક્તવ્ય સંક્ષેપમાં આ મુજબનું છે: કવિ આકારસર્જન કરતો હોય છે ત્યારે એમાં રહેલા સૌન્દર્યને નહિ પણ એ સૌન્દર્યે એના ચિત્તમાં જગાડેલા ભાવને એટલે કે પોતાની અનુભૂતિને જ ઉતારતો હોય છે. માટે એ ભાવસંવેદન કે અનુભૂતિની યોગ્યાયોગ્યતાનો વિચાર કાવ્યચર્ચામાં અપ્રસ્તુત નહિ લેખાય. સંગીત અને સાહિત્ય શ્રુતિભોગ્ય કળાઓ છે. ચાક્ષુષ કળાઓના આકારવિધાનની પ્રતીતિ જેટલી અસન્દિગ્ધ રીતે થઈ શકે તેટલી શ્રુતિભોગ્ય કળાઓના આકારવિધાનની થઈ શકતી નથી. કાવ્યનું ઉપાદાન નિસર્ગદત્ત નથી હોતું, પણ માનવનિમિર્ત હોય છે એ હકીકત કાવ્યને સંગીતથી પણ જુદું પાડે છે. શબ્દાન્તર્ગત અર્થ અથવા ભાવ કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ બની જાય છે. બીજી કળાઓનાં ઉપાદાનોમાં અર્થ કે ભાવ નથી રહ્યો એટલે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર કે સંગીતનો કળાકાર ‘હું કશું કહેવા માંગતો નથી; હું તો ખાલી આકાર જ સર્જું છું.’ એમ કહે તો તે સ્વાભાવિક ગણાય, પણ કવિનું તો ઉપાદાન જ અર્થ અને ભાવથી ઓતપ્રોત હોય છે. એટલે એ જો પોતાના ઉપાદાન દ્વારા અર્થ કે ભાવનો ઉદ્બોધ ન કરી શકે તો એને પોતાના ઉપાદાનની શક્તિનો પૂરેપૂરો લાભ લેતાં આવડતું નથી એમ જ ગણાય. બીજાં ઉપાદાન માત્ર અભિવ્યક્તિનાં સાધન છે, ભાષા અવગમન (communication) માટેનું. ભાવકને જ્યાં સુધી કાવ્યનો અર્થબોધ નહિ થાય ત્યાં સુધી કળા તરીકે કાવ્યનું કાર્ય પૂરું થતું નથી. શબ્દ પાસેથી પૂરેપૂરું કામ લેતાં કવિને આવડ્યું ત્યારે જ ગણાય, જ્યારે પોતે જે કહેવા માગતો હોય તેને અસન્દિગ્ધ રીતે કહી શકે. કળાને ભાવ કે તેના આકારસર્જન ઉપરાંત, સામાજિક સન્દર્ભમાં પણ તપાસવી જોઈએ. કાવ્યને તો ખાસ, કારણ કે કાવ્યની તો ‘સરકીટ’ જ સમાજ વિના પૂરી થતી નથી. કવિનું જે દર્શન હોય તેની સત્યાસત્યતા અને ઉચ્ચાવચતાનો વિચાર પણ કાવ્યનો વિમર્શ કરતી વેળા કરવો આવશ્યક હોય છે. | 22મી ગુજરાતી સાહિત્ય પરિષદ વિભાગના પ્રમુખસ્થાનેથી મનસુખલાલ ઝવેરીએ જે કહ્યું તેમાં કેટલાંક ચિન્ત્ય વિધાનો છે. એમનું વક્તવ્ય સંક્ષેપમાં આ મુજબનું છે: કવિ આકારસર્જન કરતો હોય છે ત્યારે એમાં રહેલા સૌન્દર્યને નહિ પણ એ સૌન્દર્યે એના ચિત્તમાં જગાડેલા ભાવને એટલે કે પોતાની અનુભૂતિને જ ઉતારતો હોય છે. માટે એ ભાવસંવેદન કે અનુભૂતિની યોગ્યાયોગ્યતાનો વિચાર કાવ્યચર્ચામાં અપ્રસ્તુત નહિ લેખાય. સંગીત અને સાહિત્ય શ્રુતિભોગ્ય કળાઓ છે. ચાક્ષુષ કળાઓના આકારવિધાનની પ્રતીતિ જેટલી અસન્દિગ્ધ રીતે થઈ શકે તેટલી શ્રુતિભોગ્ય કળાઓના આકારવિધાનની થઈ શકતી નથી. કાવ્યનું ઉપાદાન નિસર્ગદત્ત નથી હોતું, પણ માનવનિમિર્ત હોય છે એ હકીકત કાવ્યને સંગીતથી પણ જુદું પાડે છે. શબ્દાન્તર્ગત અર્થ અથવા ભાવ કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ બની જાય છે. બીજી કળાઓનાં ઉપાદાનોમાં અર્થ કે ભાવ નથી રહ્યો એટલે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર કે સંગીતનો કળાકાર ‘હું કશું કહેવા માંગતો નથી; હું તો ખાલી આકાર જ સર્જું છું.’ એમ કહે તો તે સ્વાભાવિક ગણાય, પણ કવિનું તો ઉપાદાન જ અર્થ અને ભાવથી ઓતપ્રોત હોય છે. એટલે એ જો પોતાના ઉપાદાન દ્વારા અર્થ કે ભાવનો ઉદ્બોધ ન કરી શકે તો એને પોતાના ઉપાદાનની શક્તિનો પૂરેપૂરો લાભ લેતાં આવડતું નથી એમ જ ગણાય. બીજાં ઉપાદાન માત્ર અભિવ્યક્તિનાં સાધન છે, ભાષા અવગમન (communication) માટેનું. ભાવકને જ્યાં સુધી કાવ્યનો અર્થબોધ નહિ થાય ત્યાં સુધી કળા તરીકે કાવ્યનું કાર્ય પૂરું થતું નથી. શબ્દ પાસેથી પૂરેપૂરું કામ લેતાં કવિને આવડ્યું ત્યારે જ ગણાય, જ્યારે પોતે જે કહેવા માગતો હોય તેને અસન્દિગ્ધ રીતે કહી શકે. કળાને ભાવ કે તેના આકારસર્જન ઉપરાંત, સામાજિક સન્દર્ભમાં પણ તપાસવી જોઈએ. કાવ્યને તો ખાસ, કારણ કે કાવ્યની તો ‘સરકીટ’ જ સમાજ વિના પૂરી થતી નથી. કવિનું જે દર્શન હોય તેની સત્યાસત્યતા અને ઉચ્ચાવચતાનો વિચાર પણ કાવ્યનો વિમર્શ કરતી વેળા કરવો આવશ્યક હોય છે. | ||
| Line 26: | Line 27: | ||
જો આ મુદ્દો બરાબર સમજીશું તો કળા અને તેથી ભાવકના ચિત્તમાં ઉદ્ભવતી લાગણી, એ લાગણીનો સામાજિક નીતિ સાથેનો સમ્બન્ધ – આને લાગતા પ્રશ્નોનો ઉત્તર મળી રહેશે. કવિ આપણા ચિત્તમાં લાગણીઓના progressive analoguesની એક પરમ્પરા સરજી દે છે. એ અમુક લાગણીમાં આપણને જકડી દેવા માગતો નથી. રસાનુભવમાં અનાસક્તિ છતાં તાદાત્મ્યસહિતની જે ચર્વણા છે તેનું સ્વરૂપ જો બરાબર સમજીએ તો અનધિકારી ભાવક કળાનો જે અપવ્યય કરે છે તેની જવાબદારી કળા કે કળાકારને માથે નાખવાનું વલણ આપણે નહીં ધરાવીએ. | જો આ મુદ્દો બરાબર સમજીશું તો કળા અને તેથી ભાવકના ચિત્તમાં ઉદ્ભવતી લાગણી, એ લાગણીનો સામાજિક નીતિ સાથેનો સમ્બન્ધ – આને લાગતા પ્રશ્નોનો ઉત્તર મળી રહેશે. કવિ આપણા ચિત્તમાં લાગણીઓના progressive analoguesની એક પરમ્પરા સરજી દે છે. એ અમુક લાગણીમાં આપણને જકડી દેવા માગતો નથી. રસાનુભવમાં અનાસક્તિ છતાં તાદાત્મ્યસહિતની જે ચર્વણા છે તેનું સ્વરૂપ જો બરાબર સમજીએ તો અનધિકારી ભાવક કળાનો જે અપવ્યય કરે છે તેની જવાબદારી કળા કે કળાકારને માથે નાખવાનું વલણ આપણે નહીં ધરાવીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્યચર્ચા/આપણું કાવ્યવિવેચન (1945-1965)|આપણું કાવ્યવિવેચન (1945-1965)]] | |||
|next = [[કાવ્યચર્ચા/નર્મદ એક મૂલ્યાંકન|નર્મદ: એક મૂલ્યાંકન]] | |||
}} | |||
edits