મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|દયારામ}} <poem> કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલ...") |
(No difference)
|
Latest revision as of 08:20, 19 August 2021
પદ (૨૨)
દયારામ
કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?
વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યાં તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!
સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે, કાંઈ પેર ન સૂઝે! રાતદિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!
કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયા પ્રીતમજીને એટલું જઈ કહેજો: ક્યાં સુધી આવું દુ:ખ સહીએ રે? ઓધવ!