મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|મુક્તાનંદ}} <poem> સતી નારને પતિ સંગ પ્યાર રે, પતિસેવા ન ચૂ...") |
(No difference)
|
Latest revision as of 05:08, 19 August 2021
પદ ૩
મુક્તાનંદ
સતી નારને પતિ સંગ પ્યાર રે, પતિસેવા ન ચૂકે લગાર રે;
નિજ ધર્મ રાખે દૃઢ તેહ રે, તેમાં ભૂલે ખંડિત થાય જેહ રે.
તેનો એક એક કરે ઉપવાસ રે, ત્યાગે પતિવ્રતા તન સુખ આશ રે;
સતી સુર ને સંતની રીત રે, સૌથી ન્યારી ને પરમ પુનિત રે.
સતી પતિ સંગ બળવાને જાય રે, પછી ભાગે તો ભ્રષ્ટ કહેવાય રે;
શૂરો રણમાં જઈ પાછો ભાગે રે, તેનાં કુળને તે લાંછન લાગે રે.
ત્યાગી થઈને વિષયમાં લોભાય રે, તે તો શ્વાનથી નીચ કહેવાય રે;
મુક્તાનંદ કહે સતી એમ જાણી રે, રાખે નિજ ધર્મ પરમ શયાણી રે.