મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૮: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૮|}} <poem> એવી અંતર આંટી પાડી રે સુણ બહેની ::: ઉખડે નહિં કોયની...") |
(No difference)
|
Latest revision as of 11:44, 18 August 2021
પદ ૧૮
એવી અંતર આંટી પાડી રે સુણ બહેની
ઉખડે નહિં કોયની ઉખાડી રે સુણ બહેની ૧
જેમ ચાતક આંટી રાખે રે,
વિના સ્વાતિ નીર નવ ચાખે રે. સુણ૦ ૨
જેમ કેસરી ઘાસ નવ ખાય રે,
સો લાંઘણ કરી મરી જાય રે. સુણ૦ ૩
એમ નિશ્ચે વિઠ્ઠલને વરવું રે,
નહીં તો સાવ કુંવારા મરવું રે. સુણ૦ ૪
બીજા પુરુષ સામું નવ જોવું રે,
ચિત્ત પાતળિયામાં પ્રોવું રે. સુણ૦ ૫
બ્રહ્માનંદ કહે પહેલે વિચારી રે,
પછે વાત કાઢી મેં બારી રે. સુણ૦ ૬