મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૬: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૬|ગંગાસતી}} <poem> નવધા ભગતિમાં નિરમળ રે’વું ને ::: શીખવો વચન...") |
(No difference)
|
Latest revision as of 11:24, 16 August 2021
પદ ૧૬
ગંગાસતી
નવધા ભગતિમાં નિરમળ રે’વું ને
શીખવો વચનુંનો વિશવાસ રે,
સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને
થઈને રહેવું તેના દાસ રે.
ભાઈ રે! રંગરૂપમાં રમવું નહીં ને
કરવો ભજનુંનો અભિયાસ રે,
સતગુરુ સંગે એકાંતમાં રે’વુંને
તજી દેવી ફળની આશ રે – નવધા૦
ભાઈ રે! દાતા ને ભોગતા હરિ એમ કે’વું ને
રાખવું નિરમળ જ્ઞાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે
ધરવું ગુરુજીનું ધ્યાન રે – નવધા૦
ભાઈ ર! અભ્યાસીને એવી રીતે રે’વું ને
જાણવો વચનનો મરમ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
છોડી દેવાં અશુદ્ધ કરમ રે – નવધા૦