મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૯| ગંગાસતી}} <poem> મન મરિયું તેને ત્યાગી કહીએ ને, ::: મરને વરતે...")
 
(No difference)

Latest revision as of 10:55, 16 August 2021


પદ ૯

ગંગાસતી

મન મરિયું તેને ત્યાગી કહીએ ને,
મરને વરતે વહેવાર માંય રે;
ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ને,
તેને નડે નહિ માયાની છાંય રે          ...મન. ૧

ભાઈ રે! આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,
આનંદ ઉપજ્યો અપાર રે;
વ્રતમાન બદલે પાનબાઈ તેને રે;
જેને લાગ્યો વચનુમાં તાર રે..          .મન. ૨

ભાઈ રે! આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,
વરતી થઈ ગઈ સમાન રે;
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને,
મટી ગયું જાતિનું માન રે.          ..મન. ૩

ભાઈ રે! પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે,
વાસના મટી ટળી તાણાવાણ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
જેને થઈ ગઈ સદ્ગુરુની ઓળખાણ રે          ...મન.૪