અથવા અને/સર્જક-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ, નિબન્ધકાર, કલાસમીક્ષક ગુલામમોહમ્મદ શેખનો ટૂંકો પરિચ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 7: Line 7:
ગુલામમોહમ્મદ શેખનો જન્મ 1937, સુરેન્દ્રનગરમાં. એસ.એસ.સી. પછી મ.સ. યુનિવર્સિટી, વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ અને ત્યાંથી એમ.એ. (ફાઇન) 1961માં. પરિણામ પછી તરત કળાનો ઇતિહાસ વિભાગમાં અધ્યાપનઃ 1961થી 1963 અને 1969થી 1981. વચ્ચેના ગાળામાં એ.આર.સી.એ. રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડનમાં અભ્યાસ. ફેકલ્ટીના ચિત્રકળા વિભાગમાં 1981થી 1992.
ગુલામમોહમ્મદ શેખનો જન્મ 1937, સુરેન્દ્રનગરમાં. એસ.એસ.સી. પછી મ.સ. યુનિવર્સિટી, વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ અને ત્યાંથી એમ.એ. (ફાઇન) 1961માં. પરિણામ પછી તરત કળાનો ઇતિહાસ વિભાગમાં અધ્યાપનઃ 1961થી 1963 અને 1969થી 1981. વચ્ચેના ગાળામાં એ.આર.સી.એ. રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડનમાં અભ્યાસ. ફેકલ્ટીના ચિત્રકળા વિભાગમાં 1981થી 1992.
પ્રકાશનોઃ
'''પ્રકાશનોઃ'''
૧/ ‘અથવા’ (કાવ્યો) – 1974
૧/ ‘અથવા’ (કાવ્યો) – 1974
૨/ ‘અથવા અને’ (કાવ્યો) – 2013 — સંવર્ધિત આવૃત્તિ  
૨/ ‘અથવા અને’ (કાવ્યો) – 2013 — સંવર્ધિત આવૃત્તિ  
Line 21: Line 21:
ગુલામમોહમ્મદ શેખ સુરેન્દ્રનગરથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવે છે. આરમ્ભના દિવસોમાં સુરેશ જોષીને મળવાનું બને છે. ધીમે ધીમે સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો-કળાકારોનું હૂંફાળું છત્ર મળતાં આ યુવાનમાં સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકોમાં રિલ્કે, માલાર્મે, સેન્ટ જ્હોન પર્સ, બૉદલેર, ઑક્તોવિયો પાઝ, યેમિનેઝ, લૉર્કાની કવિતાના સ્વાદે ગુલામમોહમ્મદ શેખને વિશ્વકવિતાનો અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ઉત્સાહી અધ્યાપકોએ વિશ્વકળાનો અઘરો રસ્તો સુઝાડ્યો.  
ગુલામમોહમ્મદ શેખ સુરેન્દ્રનગરથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવે છે. આરમ્ભના દિવસોમાં સુરેશ જોષીને મળવાનું બને છે. ધીમે ધીમે સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો-કળાકારોનું હૂંફાળું છત્ર મળતાં આ યુવાનમાં સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકોમાં રિલ્કે, માલાર્મે, સેન્ટ જ્હોન પર્સ, બૉદલેર, ઑક્તોવિયો પાઝ, યેમિનેઝ, લૉર્કાની કવિતાના સ્વાદે ગુલામમોહમ્મદ શેખને વિશ્વકવિતાનો અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ઉત્સાહી અધ્યાપકોએ વિશ્વકળાનો અઘરો રસ્તો સુઝાડ્યો.  


નર્મદથી રાજેન્દ્ર–નિરંજન અને ઉશનસ્–જયન્ત પાઠક સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરના આધુનિકતાવાદી કવિઓ ને કવિતાના અપૂર્વ આક્રમણે આપણી રૂઢ માન્યતાઓને સૌ પ્રથમ તો ચોંકાવીને આઘાત આપ્યા. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડતી 'અથવા' (પ્રથમ આવૃત્તિ : 1947) તથા 'અથવા અને' (સંવર્ધિત આવૃત્તિ : 2013)ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી અછાન્દસ કવિતાનું મહત્વનું સ્થિત્યન્તર છે. આ સન્દર્ભે ગુલામમોહમ્મદ શેખ આપણી અછાન્દસ ગુજરાતી કવિતાના પ્રથમ બલિષ્ઠ કવિ છે.  
નર્મદથી રાજેન્દ્ર–નિરંજન અને ઉશનસ્–જયન્ત પાઠક સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરના આધુનિકતાવાદી કવિઓ ને કવિતાના અપૂર્વ આક્રમણે આપણી રૂઢ માન્યતાઓને સૌ પ્રથમ તો ચોંકાવીને આઘાત આપ્યા. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડતી 'અથવા' (પ્રથમ આવૃત્તિ : 1974) તથા 'અથવા અને' (સંવર્ધિત આવૃત્તિ : 2013)ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી અછાન્દસ કવિતાનું મહત્વનું સ્થિત્યન્તર છે. આ સન્દર્ભે ગુલામમોહમ્મદ શેખ આપણી અછાન્દસ ગુજરાતી કવિતાના પ્રથમ બલિષ્ઠ કવિ છે.  


કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ–
કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ–
Line 73: Line 73:
***
***


ઘેર જતાં (નિબન્ધસંગ્રહ)
'''ઘેર જતાં (નિબન્ધસંગ્રહ)'''


ગુલામમોહમ્મદ શેખના નિબન્ધો વિષે સૌ પ્રથમ નોંધવું છે કે સુરેશ જોષીના નિબન્ધોના કુળથી જુદા અને નિજી લય-લહેકાવાળા, સંવેદનોથી સભર તાજપભર્યાં ગદ્યથી ટટ્ટાર છે.
ગુલામમોહમ્મદ શેખના નિબન્ધો વિષે સૌ પ્રથમ નોંધવું છે કે સુરેશ જોષીના નિબન્ધોના કુળથી જુદા અને નિજી લય-લહેકાવાળા, સંવેદનોથી સભર તાજપભર્યાં ગદ્યથી ટટ્ટાર છે.
Line 79: Line 79:
શેખ ઇન્દ્રિયબોધ કરાવતાં વિવિધ કલ્પનો સાથે સહજતાભર્યું, સંકુલ વાતાવરણ રચવામાં સફળ થયા છે. 'ઘેર જતાં' (25), 'દીવાલ' (37), 'દાદા' (45) , 'મા' (49), 'ઉત્તર' (55), 'ભાઈ' (61), 'ગોદડી' (77) આદિ નિબન્ધો સૂક્ષ્મ સંવેદનના નોખા ચઢાવ-ઉતાર સાથે ભાવકોને સ્પર્શે છે.
શેખ ઇન્દ્રિયબોધ કરાવતાં વિવિધ કલ્પનો સાથે સહજતાભર્યું, સંકુલ વાતાવરણ રચવામાં સફળ થયા છે. 'ઘેર જતાં' (25), 'દીવાલ' (37), 'દાદા' (45) , 'મા' (49), 'ઉત્તર' (55), 'ભાઈ' (61), 'ગોદડી' (77) આદિ નિબન્ધો સૂક્ષ્મ સંવેદનના નોખા ચઢાવ-ઉતાર સાથે ભાવકોને સ્પર્શે છે.


ગુલામમોહમ્મદ શેખ ક્યારેક નિબન્ધને (દા. ત. 'ગોદડી')વાર્તાની નજીક લઈ જઈ શકે છે. લલિત નિબન્ધના અઢળખ ફાલ વચ્ચે 'ઘેર જતાં' સંગ્રહ પોતાના સામર્થ્યથી નોખો સિદ્ધ થાય છે.  
ગુલામમોહમ્મદ શેખ ક્યારેક નિબન્ધને (દા. ત. 'ગોદડી')વાર્તાની નજીક લઈ જઈ શકે છે. લલિત નિબન્ધના અઢળક ફાલ વચ્ચે 'ઘેર જતાં' સંગ્રહ પોતાના સામર્થ્યથી નોખો સિદ્ધ થાય છે.  


***
***


નીરખે તે નજર (દૃશ્યકળાવિષયક લેખોનો સંગ્રહ)
'''નીરખે તે નજર (દૃશ્યકળાવિષયક લેખોનો સંગ્રહ)'''


કળા - દૃશ્યકળા-ચિત્રકળા વિષે કેટલી ઝીણવટથી વિચારી શકાય અને કેટલી સૂક્ષ્મતાથી લખી શકાય તેના માનદણ્ડ તરીકે ‘નીરખે તે નજર’ને કળાજગત હંમેશ કેન્દ્રમાં રાખશે.
કળા - દૃશ્યકળા-ચિત્રકળા વિષે કેટલી ઝીણવટથી વિચારી શકાય અને કેટલી સૂક્ષ્મતાથી લખી શકાય તેના માનદણ્ડ તરીકે ‘નીરખે તે નજર’ને કળાજગત હંમેશ કેન્દ્રમાં રાખશે.
Line 101: Line 101:
વિવિધ સમ્માનો:
વિવિધ સમ્માનો:
• કાલિદાસ સમ્માન – 2002
• કાલિદાસ સમ્માન – 2002
• રવિશંકર રાવળ પુરસ્કાર – 1997-99
• રવિશંકર રાવળ પુરસ્કાર – 1998-99
• રવિ વર્મા પુરસ્કારમ્ – 2009
• રવિ વર્મા પુરસ્કારમ્ – 2009
• પદ્મશ્રી – 1987
• પદ્મશ્રી – 1983
• પદ્મભૂષણ – 2014
• પદ્મભૂષણ – 2014
• નરસિંહ મહેતા એવૉર્ડ – 2017
• નરસિંહ મહેતા એવૉર્ડ – 2017